મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા
- કૉપી લિંક
ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે. ઈદનો ચાંદ દેખાતા જ બજારોમાં ચમક વધી જાય છે અને ઘરઆંગણે પણ ઈદની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ જાય છે. ગતરોજ શુક્રવારે 21 એપ્રિલ 2023ના રોજ પવિત્ર રમજાનનો છેલ્લો રોજો રાખવામાં આવ્યો હતો. ઇફતાર બાદ ઈદનો ચાંદ નજરે પડતા આજે સમગ્ર જગ્યાએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી છે. દેશમાં પણ દરેક જગ્યાએ આજે ઈદની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ મુસ્લિમ સમાજના લોકોએ આજે ઈદની ઉજવણી કરી છે. ઈદના દિવસે લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જતા હોય છે અને નમાઝ અદા કરતા હોય છે અને અલ્લાહને શાંતિ અને સુખ માટે ઈબાદત કરતા હોય છે.

સંતરામપુરમાં રમજાન મુબારકનો મહિનો પૂર્ણ થતા જ આજ રોજ સવારે રમજાન ઈદની ઉજવણી કરવા માટે મુસ્લિમ બિરાદરો સવારથી તડામણ તૈયારીઓ કરી સંતરામપુર ઈદગા મસ્જિદમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. જુમ્મા મસ્જિદના પેશ ઈમામભાઈ ભાઈચારા માટે રહેવા માટેનો સંદેશો આપ્યો હતો. ઈદની નમાજ પૂર્ણ થતા જ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી.

સંતરામપુરના અલગ અલગ મહત્ત્વના વિસ્તારોમાં અને ધાર્મિક સ્થળો બાજુ પોલીસ તંત્ર દ્વારા ઈદને અનુલક્ષી લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદના તહેવાર નિમિત્તે સંતરામપુર પોલીસે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓ, પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્રને નગરવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. સંતરામપુરની વાડી વિસ્તારમાં ઈદના ભાગરૂપે નાનો ઈદના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
