- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Even Though The Father Is An MP, The Mother Is An MLA, He Could Not Save His Son Who Was Addicted To Alcohol, The Union Minister Is Making The Youth Take An Oath Of Freedom From Addiction.
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
નશો નાશનું મુળ છે તે ઉક્તિ કેટલાયે વર્ષોથી સમાજમાં પ્રચલિત છે.તેમ છતાંયે નશાના ખપ્પરમાં આજનું યુવાધન સરેઆમ હોમાઇ રહ્યુ છે.તેમાં ગરીબ હોય કે તવંગર તેવો કોઇ ભેદ નડતો નથી.ત્યારે ઉત્તર પ્રદેશના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હોવા ઉપરાંત તેમના ધર્મ પત્ની પણ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય છે તેમ છતાં નશાના રવાડે ચઢેલા પોતાના યુવાન પુત્રને બચાવી શક્યા ન હતા અને તેનુ દર્દ આજે પણ છલકાઇ રહ્યુ છે.તેેવા સમયે દાહોદ લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય કક્ષાએથી મુકાયેલા લોકસભા પ્રવાસી મંત્રી કોઇનો પુત્ર કે પુત્રી નશામાં જીવન ન ગુમાવે તેેવા હેતુથી દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસ દરમિયાન શાળા મહાશાળાઓમાં નશા વિરોધી અભિયાન ચલાવવાનું ચુક્તા નથી.તેઓએ લીમડીની અચીવર સ્કુલમાં પણ બાળકોને નશા મુક્ત રહેવા શપથ લેવડાવ્યા હતા.
તવંગરોના ફરજંદો નશા વિના તરફડે છે,ગરીબોના સંતાનો નશા માટે ભીખ માગે
વ્યસનની શરુઆત થાય ત્યારે ખબર નથી પડતી કે વ્યક્તિ ક્યારે તેનો બંધાણી થઇ જશે અને ખબર પડે છે ત્યારે તે નશાની ચુંગાલમાંથી છુટી શક્તો નથી.તે પછી તમાકુ,દારુ,ગાંજો,ચરસ,ભાંગ કે પછી વૈભવી નશા કહેવાતા ડ્રગ્સ હોય. તેના વગર તરફડિયા મારતા તવંગરોના ફરજંદોને પણ સમાજે જોયા છે અને નશા માટે ભીખ માંગતા ગરીબ પરિવારોના સંતાનો આજે પણ સમાજમાં હયાત છે.ક્યારેક શોખ પુરતો નશો કરનારા પણ નશાની જંજીરોમાં બંધાઇ જાય છે ત્યારે તેેમાંથી છુટવા માગતા હોવા છતાં પણ ઘણાં શિક્ષિતો પણ છુટી શક્તા નથી.
મહાત્મા ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિ નશાથી થનારા નાશને નીરખી ગઈ હતી
ગુજરાતમાં નશાની કોઇ ચીજ વસ્તુ આજે ઉપલબ્ધ ન હોય તેવુ નથી.કારણ કે કમાણી કરવાના આ કારોબારનો શોર્ટકટ ઘણાંએ સ્વીકારી લીધો છે અને પરિણામે નશામાં સપડાયેલા પોતાના સંતાનો બાબતે માવતરો પણ લાચાર થઇ જાય છે.કહેવાતા સેલીબ્રીટીઝ કે તેમના સંતાનો પણ નશાની લતને કારણે ક્યારે પોતાનુ કેરીયર ખતમ કરી દેતા હોવાના કેટલાયે દાખલા જોવા મળ્યા છે.સરકારો પણ ઘણાં પ્રયત્નો કરે છે પરંતુ નશાના કારોબાર અને અને તેની લતને પુરેપુરા ડામી શકાયા નથી તે સનાતન સત્ય છે.કદાચ મહાત્મા ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિ નશાથી થનારા નાશને પારખી ગઇ હશે તેથી જ તેઓએ ગુજરાતમાં દારુબંધીનો અમલ કરાવેલો પરંતુ તે આજે કેટલો કારગર નીવડયો છે તે અદનો ગુજરાતી પણ જાણે છે.
વ્યસનને કારણે પરિવારને જ પારાવાર નુકસાન થાય છે
નશાને કારણે પોતાને અને પોતાના પરિવારને કેટલુ નુકસાન થાય છે તેનુ આકલન કરવુ હોય તો એક કિસ્સો આજ કાલ દાહોદમાં જોવા મળે છે.કેન્દ્ર સરકારે ગુજરાતની કેટલીક લોકસભા બેઠકો પર કેન્દ્રી મંત્રીઓને પ્રવાસી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે.જેમાં દાહોદ લોકસભા વિસ્તારમાં કેેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી વિકાસ વિભાગના રાજ્ય મંત્રી કાૈશલ કિશોરને મુકવામાં આવ્યા છે.તેેઓ તમામ વિધાનસભા વિસ્તારોનો તબક્કાવાર પ્રવાસ કરી રહ્યા છે અને સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે.તેમની આ કામગીરી સાથે તેઓ જે તે વિસ્તારમા હોય ત્યારે તેઓ કોઇ પણ શાળા કે મહાશાળામાં પોતાનુ વ્યક્તવ્ય આપવા અચૂક જાય છે અને તેમનો એક જ વિષય હોય છે નશા મુક્તિ.
સત્તા,સામર્થ્ય બધુ જ હોવા છતાં લાચાર જ બની રહ્યા
ત્યારે સ્થાનિકોને સ્વાભાવિક રીતે જ વિચાર આવે છે કે એક કેન્દ્રીય મંત્રી શાળા મહાશાળાઓમાં વ્યસન મુક્તિ માટે કેમ જઇ રહ્યા છે ત્યારે તેમની વેદના પાછળની કથની કોઇનું પણ કાળજું કંપાવી નાખે છે.તેઓ પોતે સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે ઉપરાંત તેમના ધર્મ પત્ની ધારાસભ્ય હોવા છતાં તેમના જુવાન જોધ પુત્રને તેઓ બચાવી શક્યા નથી અને તેઓ પોતે જ આ વક્રતાનો જાહેરમાં સ્વીકાર કરે છે.તેઓ જણાવે્ છે તેમનો પુત્ર નશાના રવાડે ચઢી ગયો અને એમને ખબર પણ ન પડી અને ખબર પડી ત્યારે ઘણું મોડુ થઇ ગયુ હતુ.છેવટે વ્યસનને કારણે પુત્રનું મૃત્યુ થયુ હતુ.જેથી તેઓ શાળા મહાશાળાઓમાં જઇને બાળકો અને યુવાનોને વ્યસનથી દુર રહેવાના શપથ લેવડાવે છે.
આ પહેલાં પણ જિલ્લામાં મહાશાળાઓમા શપથ લેવડાવ્યા છે
આ પહેલા કેન્દ્રી મંત્રી કાૈશલ કિશોરે દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ, ફતેપુરાની કોલેજમાં પોતાની આપવીતી જણાવી નશાાથી દુર રહેવાની નેમ લેવડાવી હતી ત્યારે હાલમાં લીમડીની ધી ન્યુ એચીવર પ્રિ સાયન્સ સ્કુલમાં પણ તેઓએ પોતાનુ વ્યક્તવ્ય આપ્યુ હતુ અને બાળકો પાસે વ્યસન મુકિતના શપથ લેેવડાવ્યા છે.