અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી પ્રોપર્ટી ટેક્સ માટે સીલ મારવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોટી રકમના બાકી ટેક્સ ધારકોને નોટીસથી લઈ અને મિલકત હરાજી સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. છતાં પણ ટેક્સ ભરવામાં આવતો નથી, ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે તે મિલકત ધારકની મિલકતમાં બોજો પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજિની સોસાયટી પાસે આવેલા બંધન પાર્ટી પ્લોટ દ્વારા રૂ. 17.38 લાખનો એક આજ દિન સુધી ભરવામાં આવ્યો નથી, જેથી ટેક્સ વિભાગ દ્વારા કલેક્ટરમાં રેવન્યુ રેકોર્ડમાં બોજો નોંધાવવામાં આવ્યો છે. ત્યાં સુધી મિલકતનો ટેક્સની ભરપાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી હવે આ પ્રોપર્ટી વેચી શકશે નહીં.
60 દિવસના સમયગાળા અપાયો
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગ દ્વારા મોટી રકમનો ટેક્સ બાકી હોય તેવા મિલકત ધારકો સામે નોટિસ આપવાની કાર્યવાહી સીલ મારવાની તેમજ તેની મિલકતને હરાજી કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. છતાં પણ મિલકત ધારકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી, ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા કલેક્ટર ઓફિસમાં બોજો નોંધાવવામાં આવશે. જેના ભાગરૂપે સૌપ્રથમવાર અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બંધન પાર્ટી પ્લોટનો રેવન્યુ રેકોર્ડમાં બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. 30થી 60 દિવસના સમયગાળામાં જો ટેક્સ ભરી દેવામાં આવશે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને NOC આપવામાં આવશે. જો ત્યાં સુધીમાં તે ટેક્સની ભરપાઈ નહીં કરે તો રેવન્યુ રેકોર્ડમાં તેની પાકી નોંધ કરવામાં આવશે.
કોર્ટ મેટરમાં કાર્યવાહી કરવામાં આવશે નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવેથી મોટી ટેક્સનો રકમ જેની બાકી હશે તેમની સામે ટેક્સ વિભાગ દ્વારા નોટિસથી લઈ અને મિલકત હરાજી સુધીની નોટિસ બાદ આવા બોજો પાડવાની કાર્યવાહી માટે કલેક્ટર સાથે મિટિંગ કરવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે ઓર્ડર કરાવી અને મામલતદાર થકી બોજો પડાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં પણ કોર્ટ મેટર હશે ત્યાં આ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે અમદાવાદ શહેરમાં મોટી રકમનો બાકી હોય તેવી 5,000થી વધુ મિલકતો આવેલી છે.