- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- The Lover Of The Deceased Girl Applied To The Police And Demanded An Investigation, The Family Said ‘Our Daughter Committed Suicide When The Young Man Refused To Accept’.
નવસારી18 મિનિટ પહેલા
- કૉપી લિંક

નવસારીમાં જલાલપુરના અબ્રામા ગામમાં રહેતી સાહિસ્તા નામની યુવતીનું શંકાસ્પદ મોત થતા તેના પ્રેમી દ્વારા સુરત રેન્જ આઈજીને અરજી કરી તેની પ્રેમિકાના પરિવારજનો પર ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનો કહી રહ્યા છે કે, યુવકે સ્વીકારવાની ના પાડતા પોતાની દીકરીએ આત્મહત્યા કરી હતી. આ સમગ્ર મામલામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ તેની દફનવિધિ કરી દેવામાં આવી છે. ત્યારે હવે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?
નવસારીના અબ્રામા ગામમાં રહેતી સાહિસ્તા અને ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલ નામના યુવક વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. સાહિસ્તા 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી જતા તેના પરિવારજનો બ્રિજેશના ઘરે પહોંચ્યા હતા. જે સમયે સાહિસ્તા પોતાના ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી ત્યારે સાહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સહિસ્તાનો એકાએક ફોન આવ્યો અને અને કહ્યું હતું કે, તું મને લઈ જા અને ત્યારબાદ સાહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે તું સાહિસ્તાને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે સાહિસ્તાને અમને સોંપી દેજે.

યુવતીના પરિવારે યુવકને પોલીસ ફરિયાદ ન કરવા કહ્યું
સહિસ્તાનો ફોન આવતા બ્રિજેશ વલસાડ ગયો હતો અને સહિસ્તાને ત્યાંથી લાવી તલવાડા ચોકડી પાસે તેના પરિવારના સભ્યોને સોંપી દીધી હતી. સાદિક નામના વ્યક્તિ દ્વારા સાહિસ્તાને પોતાની કારમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સાહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને રવાના કરી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે બ્રિજેશને જાણવા મળ્યું કે, સહિસ્તાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

બ્રિજેશ પટેલે યુવતીના પરિવારજનો પર ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો
પોતાની પ્રેમિકાના મોતના સમાચાર મળતા બ્રિજેશ પટેલ માનવા તૈયાર ન હતો કે, સાહિસ્તા આત્મહત્યા કરી લે. જેથી તેને આ મામલાની તપાસ માટે સૌ પ્રથમ સ્થાનિક પોલીસ સમક્ષ અને ત્યારબાદ સુરત રેન્જ આઈજી સમક્ષ તપાસ કરવાની માગ કરી હતી. બ્રિજેશ પટેલે સાહિસ્તાના પરિવારજનો પર ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો છે. સાહિસ્તાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ દફનવિધિ કરી દેવામાં આવી હોવાથી બ્રિજેશે પોસ્ટમોર્ટમ કરવાની પણ માગ કરી છે.

અરજી મળતા તપાસ શરૂ કરી છે- રેન્જ આઈજી
સુરત રેન્જ આઈજી પીયૂષ પટેલે જણાવ્યું હતું કે, બ્રિજેશ પટેલ નામના વ્યકિત દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે. જેમાં તેને પોતાની પ્રેમિકાની તેના પરિવારના લોકોએ હત્યા કરી નાખી હોવાની આશંકા વ્યક્ત કરી છે. જે બાબતની નવસારી પોલીસને જાણ કરી છે. અમારા અધિકારીઓ સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.