વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને વડોદરા શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા. પ્રસંગે વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે રમુજી અંદાજમાં જણાવ્યું હતું કે અહીં તો ઝેર પણ ડુપ્લીકેટ મળે છે.
ફ્રુટ અને શાકભાજી કેમિકલથી પકવવામાં આવે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ તમામ વસ્તુઓ ભેળસેળવાળી મળે છે, કેરી અને કેળા સહિતનાના ફ્રુટ અને શાકભાજી કેમિકલથી પકવવામાં આવે છે. એનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. દૂધ સહિતની અનેક વસ્તુઓ ડુપ્લીકેટ મળે છે. આ બધા ઉપર કોર્પોરેશને ધ્યાન આપવું જોઈએ. લોકોના સ્વાસ્થ્યનો વિષય છે. આ કદાપી ચલાવી ન લેવાય. આવા લોકોને પકડવા જોઇએ. મારે રામુજમાં કહેવું પડ્યું કે, “ઝેર પણ ડુપ્લીકેટ મળે છે” ઝેર પીવાથી દવાખાને ઉલ્ટી કરે અને મટી જાય છે. કોર્પોરેશનએ બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ અને આવી વસ્તુઓને પકડવી જોઈએ છે.
ફૂટપાથ બનાવવાની સાઈઝ નક્કી કરાઈ નથી
યોગેશ પટેલે પાણી બાબતે જણાવ્યું હતું કે, એવી વાતો વહેતી થઈ છે કે, માંજલપુર વિસ્તારને વધુ પાણી મળે છે, પરંતુ, આ વાત ખોટી છે. કમિશનરે પ્રેસનોટ બહાર પાડીને 4 ઝોનમાં ક્યાં ઝોનને કેટલું પાણી મળે છે તે જાહેર કરવુ જોઈએ. યોગેશ પટેલે ફૂટપાથની સાઇઝ બાબતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ફૂટપાથ બનાવવાની સાઈઝ નક્કી કરાઈ નથી.
શહેરમાં ક્યાંક 15 ફૂટ અને ક્યાંક માત્ર દોઢ ફૂટના ફૂટપાથ બનાવવામાં આવ્યા
સોમા તળાવથી કપુરાઈ ચોકડી પાસે 15 ફૂટના ફૂટપાથ બનાવવામાં આવે છે અને ખિસકોલી સર્કલથી વડસર સુધી માત્ર દોઢ ફૂટનો ફૂટપાથ બનાવવામાં આવ્યો છે. જેના ઉપર બે લોકો સામ સામે ચાલી પણ ન શકે જેથી ઓછામાં ઓછો ચાર ફૂટના ફૂટપાથ બનાવવા જોઈએ. જો કે, વડોદરા શહેરમાં ક્યાંક 15 ફૂટ અને ક્યાંક માત્ર દોઢ ફૂટના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે.