નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

નર્મદાના જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામે આઝાદીના અમૃતકાળ બાદ પ્રથમવાર પાણીની સુવિધાઓ ઉભી થઇ, પ્રથમવાર કોઈ ધારાસભ્ય આ ગામના લોકોની મુલાકાત કરી એક કુવામાંથી પાણી પીવા મજબૂર ગ્રામજનોને 7થી 8 જેટલા બોર વિવિધ યોજનામાંથી કરાવી ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ જાતે પોતાના કાર્યકર્તાઓ સાથે ચીનકુવા જઈ અને બોરમાંથી પાણી કઢાવડાવી પાણીની સુવિધા અપાતા ગામની મહિલાઓમાં આનંદ છવાયો હતો.

ગરુડેશ્વર તાલુકાના ચીનકુવાની વાત કરીએ તો આ ગામ ઉંચા ડુંગર પર વસેલું ગામ છે. 40થી 50 પરિવારો ગામમાં વસે છે અને ગામની 350 જેટલી ગામની વસ્તી છે. છતાં ગામના લોકો એક કૂવાના પાણી પર નીરભર હતા. ઉનાળામાં તો પાણીની સમશ્યા ખુબ વિકટ બનતી, ઘણી રજૂઆતો બાદ તંત્ર દ્વારા યોજનાઓ થકી હેન્ડપંપ આપવામાં આવ્યા પણ ઉનાળામાં એ પણ પાણી અપાતા બંધ થઇ જતા હતા. તાજેતરમાં ધારાસભ્યે ચૂંટણી પૂર્વે આપેલા વચનને પૂરું કરવા સરકારની વિવિધ ગ્રાંટોમાંથી બોર મોટર કરી પાણીની સમસ્યા દૂર કરવામાં આવી લગભગ 8થી 10 જેટલા બોર મોટરો ફળિયે ફળિયે લગાવી આપવામાં આવી આજે પાણીની શાંતિ થઇ જતાં ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ છે.

આ તબક્કે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખએ જણાવ્યું હતું કે, ગરુડેશ્વરના માથાવાળીથી 3 કિ.મી ડુંગર ચાલીને ચિનકુવા જવાનું હોય ઘણું અઘરું હતું. જ્યારે હાલ વન વિભાગ દ્વારા રસ્તો કાચો બનાવવામાં આવ્યો છે. જેથી સારી રીતે મોટા વાહનો બાઈકો જઈ શકે છે. પાણીની જે મુશ્કેલી હતી તે બોર મોટર દ્વારા પાણી કાઢીને જાત નિરીક્ષણ કરીને આવી લોકો ખુબ ખુશ હતા. હવે ઘર બેઠા પાણીની સુવિધાઓ વધી છે. સરકાર નર્મદા જિલ્લામાં અંતરિયાળ ગામોમાં પાયાની સુવિધાઓ ના હોય જ્યાં જઈ અમે પહોંચીને સુવિધાઓ વધારીશુંની વાત કરી હતી.
