ભરૂચ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભરૂચની રૂંગટા સ્કૂલના ધોરણ 9 ના વર્ગો ગ્રાન્ટેડમાંથી સેલ્ફ ફાયનાન્સ કરવાના નિર્ણય સામે 77 વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે.
રૂંગટા સ્કૂલમાં રિઝલ્ટના દિવસથી ધોરણ 9 નું ખાનગીકરણ કરવાનો વિવાદ ઉભો થયો છે. શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ સ્કૂલને સરકાર અને શિક્ષણ વિભાગમાં 4 વખત રજુઆત કરવા છતાં શિક્ષકો નહિ ફળવાતા આ નિર્ણય લઈ રહ્યાં નું કારણ આગળ ધરી રહ્યાં છે.સરકારે બે જ શિક્ષકો ફાળવવા હોય જેને લઈ ધોરણ 9 ના વર્ગને સેલ્ફ ફાયનાન્સ કરવાનો નિર્ણય લેવાતા વાળીઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે. વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને પણ મળી રજુઆત કરી છે. જો કોઈ નિરાકરણ નહિ આવે તો વાલીઓએ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.