Tuesday, May 23, 2023

સો. મીડિયા પર હથિયાર સાથે ફોટો અપલોડ કરતાં પોલીસે ધરપકડ કરી, સગીરાને લલચાવી દુષ્કર્મ આચર્યું, લગ્નપ્રસંગમાં જ સ્વજનનું મોત | Hundred. Police arrested after uploading photo with weapon on media, committed rape by luring minor, death of relative during marriage | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Hundred. Police Arrested After Uploading Photo With Weapon On Media, Committed Rape By Luring Minor, Death Of Relative During Marriage

રાજકોટ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો મૂકી ભયનું વાતાવરણ ઉભું કરતા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના મળતા રાજકોટ રૂરલ SOG પોલીસે સોશિયલ મીડિયા પર વોચ રાખી હતી. આ દરમિયાન આરોપી શૈલેષે પોતાના ફેસબુક એકાઉન્ટ પર હથિયાર સાથે ફોટો મુકયો હોય તે ધ્યાને આવતા તપાસ કરતા શૈલેષ પાસે કોઈ પરવાનાવાળુ હથિયાર ન હોવાનું ખુલતા તેની અટકાયત કરી પુછપરછ કરાતા હથિયાર ખોરાણાના પૂર્વ સરપંચ નરશીભાઈની બંદુક હોવાનું ખુલ્યું હતું. નરશીભાઈની પુછપરછ કરાતા તેણે જણાવેલ કે, આ હથિયાર તેણે અગાઉ જ ચોટીલા પોલીસમાં જમા કરાવી દીધું હતું અને ફોટો અંગે પૂછતાં બે વર્ષ પહેલા શૈલેષ કડુકા ગામે લગ્નપ્રસંગે ગયો હતો. જયાં આ નરશીભાઈ પણ હતા. તેમની પાસે હથિયાર હોય શૈલેષે ફોટો પડાવ્યો હતો ત્યારે ફોટો અપલોડ નહોતો કર્યો પણ તાજેતરમાં અપલોડ કર્યો હતો. હાલ જસદણના ભાડલા પોલીસ ગુનો નોંધી બંન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરાને ભગાડી દુષ્કર્મ આચર્યું
રાજકોટ જામનગર રોડ પર પરસાણા નગર વિસ્તારમાં રહેતો ધવલ ચૌહાણ નામનો શખસ આજ વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયા અંગેની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ બનાવ અંગે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સગીરાને ભગાડી જનાર આરોપી ધવલ મનહરભાઈ ચૌહાણ (ઉ.વ 28) ને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં તે સગીરાને ભગાડી ગયા બાદ હરિદ્વાર જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર દુષ્કર્મ થયાનું ખુલ્યું હતું જેથી આરોપી સામે આઇપીસી કલમ-376નો ઉમેરો કરવામાં આવ્યો છે.

દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
રાજકોટમાં વાવડી ચોકડી સામે ભરતનગર આશાપુરા મંદિર સામે રહેતા મનોજભાઈ રવિન્દ્રભાઈ પાટીલ (ઉ.વ.24) ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે હતો ત્યારે પંખાના હુકમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની માતાએ રૂમનો દરવાજો ખોલતાં જ પુત્રને લટકતો જોઈ આક્રંદ મચાવતા લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને સારવારમાં ખસેડાતા સિવીલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સિવીલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પરિવારની પુછપરછ હાથ ધરી હતી. મૃતક વાવડીમાં આવેલ કારખાનામાં મજુરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

લગ્નની ખુશી શોકમાં પરિણમી
સુરત કામરેજમાં આબરામા રોડ પર ઓમ ટાઉનશીપમાં રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં રમેશભાઇ મેરામભાઇ ચૌહાણ (ઉ.વ.58) રાજકોટ મવડી પ્‍લોટ વિનાયકનગર-9માં રહેતાં ભાઇની દિકરી મનિષાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્‍યા હતાં. ગઇકાલે ભત્રીજીની જાનને વિદાય અપાઇ હતી. બાદમાં રમેશભાઇને અમરેલી જવાનું હોઇ તે ભાઇના ઘરે વિનાયકમાં જ રોકાયા હતાં. રાત્રે અઢી વાગ્‍યે એકાએક તબિયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રમેશભાઇને સંતાનમાં ત્રણ પુત્ર છે. ચોહાણ પરિવારે રંગેચંગે દિકરીનો લગ્ન પ્રસંગ પતાવ્‍યો ત્‍યાં સ્‍વજનનું મૃત્‍યુ થતાં લગ્નની ખુશી શોકમાં પરિણમી હતી.

ઝેરી જંતુ કરડતા મોત નીપજ્યું
રાજકોટ જિલ્લાના વિછીયાના દેવધરી ગામે રહેતાં શંભુભાઇ ટપુભાઇ મોલીયા (ઉ.વ.52)ને પગમાં કોઇ ઝેરી જંતુ કરડી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન વહેલી સવારે તેઓએ દમ તોડી દીધો હતો. શંભુભાઇ ઘણા સમયથી પથારીવશ હતાં. 21 મેં ના રોજ તેમને પગમાં કોઇ જંતુ કરડી જતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પાંચ ભાઇમાં ચોથા હતાં. સંતાનમાં બે પુત્ર અને પાંચ પુત્રી છે. હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે વિછીયા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના ચુનારાવાડ ચોકમાં રહેતા પ્રવિણભાઇ કિશોરભાઇ માનસુરીયા (ઉ.વ.35) બપોરે પોતાના ઘરે હતા ત્‍યારે પત્‍ની ઇન્‍દુબેન સાથે ઝઘડો થતા માઠું લાગી આવતા પ્રવિણભાઇએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ થતા સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી જેને લઇ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રવિણભાઇ ચારભાઇ અને એક બહેનમાં મોટા છે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts: