Tuesday, May 23, 2023

હંસરાજનગરમાં સરકારી પ્લોટ પર માથાભારે શખ્સે કબ્જો કરી લેતા સ્થાનિકોની પો. કમિશ્નરને રજૂઆત | In Hansrajnagar, government plots are occupied by arrogant people. Submission to the Commissioner | Times Of Ahmedabad

રાજકોટ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટનાં જંકશન મેઈન રોડ પરનાં હંસરાજનગરમાં સરકારના પ્લોટ પર જયેશ સગપરીયા નામના માથાભારે શખ્સે કબજો કરી લીધો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ શખ્સ રહેવાસીઓને ધમકાવી રહ્યો હોવાને કારણે આજે સ્થાનિકો દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ હંસરાજનગર 1/1માં આવેલા હંસરાજ ડુપ્લેક્સ અને ભીડભંજન ડુપ્લેક્સમાં સાર્વજનિક પ્લોટ ‘એ’ અને ‘બી’ આવેલા છે. આ પૈકીનાં પ્લોટ “બી”માં જયેશભાઈ વીરજીભાઈ સગપરીયા નામના શખ્સે પોતાના અંગત ઉપયોગ માટે ઓરડીઓ બનાવી લીધી છે અને બાકીનો પ્લોટ તે ગેરકાયદેસર રીતે અન્ય લોકોને ભાડે આપવા લાગ્યો છે. તેમજ આ અંગે સવાલ ઉઠાવનારને જયેશ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા હોય આ મામલે ત્વરિત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

વેરા વિભાગે વધુ 21 મિલકતો સીલ કરી રૂ. 3.46 કરોડ વસુલ્યા

રાજકોટ મહાનગરપાલિકાની વેરાવસુલાત શાખા દ્વારા ચાલી રહેલી વેરાવ સુલાત ઝુંબેશ આજે પણ યથાવત છે. આજે વેરા વસુલાત શાખાએ રાજકોટ શહેરના વોર્ડ નં.1,4,5,7,8,9 અને 12 તેમજ 14 હેઠળનાં વિસ્તારોમાં આવેલ 22 જેટલી મિલ્કતોને બાકીવેરા માટે સીલ માર્યા હતા. તો 22 જેટલી મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસો ફટકારી રૂા.3.46 કરોડની વસુલાત કરવામાં આવેલ હતી. જેમાં વોર્ડ નં.1માં રૈયાધાર પ્લોટ નં.16માં આવેલ ક્રિષ્ના જનરલ સ્ટોર તેમજ 150 ફુટ રોડ પર આવેલ એક યુનીટ વોર્ડ નં.4માં મોરબી રોડ, રઘુવીર ઈન્ડસ્ટ્રીઝ એરીયા તથા અન્ય એક યુનીટને બાકી માંગણા અંગે સીલ કરાયું હતું. તેમજ વોર્ડ નં.5માં પેડક રોડ પર બે યુનીટને અને વોર્ડ નં.7માં ઢેબર રોડ તેમજ કૃષ્ણસિંહજી મેઈનરોડ પર એક યુનીટ અને વોર્ડ નં.8માં આવેલ ગોવર્ધન સોસાયટીમાં એક યુનીટ તથા 150 ફુટ રોડ પરનાં ઈસ્કોન મોલમાં ચાર ઓફિસને સીલ કરી કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં. 17માં કૈલાસ એન્જીનીયરીંગ મળી કુલ 22 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસો ફટકારવામાં આવી હતી.

રાજકોટ મનપાનાં શાસકોને સી. આર. પાટીલે તેડાવ્યા

લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ સહિત 8 મહાપાલિકાઓનાં શાસકોને ભાજપ અધ્યક્ષ પાટીલે સુરત તેડાવ્યા છે. આવતીકાલે આ તમામ શાસકો સાથે પાટીલ બેઠક કરશે. જેમાં 8 પૈકી આગામી સપ્ટેમ્બરમાં 6 મહાપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય બાકીના અઢી વર્ષ માટે વિકાસકામો માટે ટાર્ગેટ અપાઈ શકે છે. તેમજ બજેટમાં જે વિકાસકામોની જાહેરાત કરાઈ તેનું સ્ટેટસ મંગાશે. અને લોકસભા ચૂંટણી જાહેર થાય તે પૂર્વે વિકાસકામોનું લોકાર્પણ કરવા માટે તાકીદ કરવામાં આવે તેવી શક્યતા છે. બેઠકમાં રાજકોટના મેયર ડૉ.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ધવા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી ઉપરાંત પ્રદેશ સંગઠન પ્રભારી અને ત્રણેય મહામંત્રીઓ હાજર રહેશે.

Related Posts: