Wednesday, May 17, 2023

મોરબીના નવનિર્મિત અને આધુનિક નવા બસસ્ટેન્ડની રિબન કાલે કપાશે | Morbi's newly constructed and modern new bus stand will be ribbon cut tomorrow | Times Of Ahmedabad

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુવિધાનું વિધિવત લોકાર્પણ

મોરબી શહેરની મધ્યમાં આવેલા નવા બસ સ્ટેશનનું રૂ 5.43 કરોડના ખર્ચે નિર્માણ થઇ ચુક્યું છે જોકે છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધારે સમયથી આ કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવા છતાં માત્ર લોકાર્પણ વાંકે આ બસ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. જેને લઇ લોકો વહેલી તકે બસ સ્ટેશન શરુ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા હતા. જો કે આ બસ સ્ટેશનનું કોઈ મંત્રીના હસ્તે લોકાર્પણ ન થાય ત્યાં સુધી પ્રજાને નવી સુવિધા ક્યાંથી મળે?

બીજી તરફ ગાંધીનગરથી પણ કોઈ મંત્રીને મોરબીનું આ બસ સ્ટેશન શરુ કરવા માટે સારું મુર્હુત મળતું ન હતું જેને લઇ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી જો સરકારને લોકાર્પણ ન કરવું હોય તો અમે કરી નાખીએ તેવા આક્ષેપ સાથે બે દિવસ પૂર્વે કોંગ્રેસે બસ સ્ટેશન લોકાર્પણ કરવાનું આયોજન કર્યું હતું. જો કે પોલીસે આ આયોજન આગેવાનોની અટકાયત કરી તેમના વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું.

વાંરવાર વગોવાયા બાદ હવે આ બસ સ્ટેશનના લોકાર્પણ માટે રાજ્યના ગૃહ મંત્રીને સમય મળી ગયો છે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આગામી 18મી ના રોજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડો મહેન્દ્ર મુંજપરા તેમજ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરીયા ઉપસ્થિતિ રહેશે. આ તકે સાંસદ મોહન કુંડારીયા , વિનોદ ચાવડા ,પુનમબેન માડમ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશ વરમોરા,મેઘજી ચાવડા, જીતેન્દ્ર સોમાણી, અને દુર્લભજી દેથરિયા સહિતના આગેવાનો પણ જોડાશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.