વડોદરા41 મિનિટ પહેલા
- કૉપી લિંક

ડીસીબીએ જ્યારે સી.એ. અશોક જૈનની ધરપકડ કરી હતી તે સમયની તસવીર
વડોદરા શહેરમાં ચાર વર્ષ પહેલાં ભારે ચકચાર જગાવનાર સી.એ. અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટને સંડોવતા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થતાં, અનેક ચર્ચાઓઓ જોર પકડયું છે. ત્યારે એવી પણ ચર્ચા ચાલી છે કે, જે રીતે બેસ્ટ બેકરી કાંડના ચકચારી કેસમાં હોસ્ટાઇલ જાહેર થનાર ઝાહીરા શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. તો આ કેસમાં ફરિયાદી સામે ફરિયાદ થશે ?
હોસ્ટાઇલ થતાં ચકચાર
સપ્ટેમ્બર-2021માં બનેલા આ બનાવમાં હરિયાણાની યુવતી સાથે થયેલા કથિત બળાત્કારના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં ભોગ બનનાર પીડિતા કોર્ટમાં હોસ્ટાઈલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. અને તેના હોસ્ટાઇલ થવા પાછળ અનેક વિતર્કો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, આ પ્રકરણમાં શરૂઆતથી નાણાંની લેવડ-દેવડના આક્ષેપો થયા હતા. અને જ્યારે આ કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થતાં પુનઃ એકવાર આ હાઇપ્રોફાઇલ દુષ્કર્મ પ્રકરણે ચર્ચા જગાવી છે.

દુષ્કર્મનો આરોપ મુકાયો હતો તે પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટની ફાઇલ તસવીર
હરીયાણાથી અભ્યાસ માટે આવી હતી
ઉલ્લેખનિય છે કે, આજથી બે વર્ષ પહેલા કોરોના કાળમાં હરિયાણાથી આવેલી યુવતી વડોદરામાં LLBનો અભ્યાસ કરતી હતી. કોરોના કાળમાં રહેવા માટે તેમજ અન્ય સુવિધાઓ માટે તે એક હોટલ સંચાલકના સંપર્કમાં આવી હતી. અને ત્યારબાદ શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનની ઓફિસમાં તે કામ કરતી હતી.

અશ્લિલ વિડીયો વખતની રાજુ ભટ્ટની ફાઇલ તસવીર
વિડીયો વાયરલ થયા હતા
દરમિયાન યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં સી.એ. અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો કરતા સનસનાટી મચી ગઇ હતી. જે તે સમયે ફરિયાદીના અને આરોપી અશોક જૈન તથા રાજુ ભટ્ટ સાથેના અશ્લિલ વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા. સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી.

વડોદરાની કોર્ટમાં ફરિયાદી હોસ્ટાઇલ થઇ
ડીસીબીએ ધરપકડ કરી હતી
યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, C.A.અશોક જૈન તથા રાજુ ભટ્ટ દ્વારા મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ થયા બાદ હાઇપ્રોફાઇલ બનેલા આ ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. શહેર ક્રાઇમ બ્રાંચે તપાસ દરમિયાન ગણતરીના દિવસોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટને ઝડપી પાડ્યા હતા. જે તે સમયે પોલીસે ફરિયાદીનું કોર્ટ સમક્ષ નિવેદન લેવાયું હતું.
સી.એ. જામીન પર છે
નોંધનીય છે કે, આ ચકચારી કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આ દુષ્કર્મના કેસ બાદ પાવાગઢના ટ્રસ્ટી મંડળમાંથી હાંકી કઢાયેલ રાજુ ભટ્ટને હજુ પણ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થતાં હવે રાજુ ભટ્ટ પણ બહાર આવી જશે. ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કોર્ટે નિવેદન નોંધ્યું
શહેર ક્રાઇમ બ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસની ટ્રાયલ હાલ ચાલી રહી છે તે દરમિયાન પીડીતાએ કોર્ટ સમક્ષ એવી જુબાની આપી હતી કે મારી સાથે અશોક જૈન કે રાજુ ભટ્ટે દુષ્કર્મ આચાર્યું નથી., કોર્ટે નિવેદન નોંધી પીડિતાને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવી છે.
સૃષ્ટી વિરૂધ્ધની કલમ ઉમેરાઇ હતી
ઉલ્લેખનિય છે કે, એક સમયે પીડિતાએ એવા આક્ષેપ કર્યા હતા કે, પોલીસ મારી ફરિયાદ નોંધી રહી નથી. ભારે હોબાળો મચ્યા બાદ આ મામલે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પાછળથી તપાસ દરમિયાન સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પણ કલમ ઉમેરવામાં આવી હતી. અને આ કેસના અશ્લિલ વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા. જે વિડીયોએ ભદ્ર સમાજમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
પોલીસ ફરિયાદ કરશે
ઉલ્લેખનિય છે કે, વડોદરાના ચકચારી બેસ્ટ બેકરી કાંડમાં ફરિયાદી ઝાહીરા શેક કોર્ટમાં હોસ્ટાઇલ જાહેર થતાં તેની સામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ દુષ્કર્મ કેસમાં હોસ્ટાઇલ જાહેર થનાર ફરિયાદી સામે પોલીસ ફરિયાદ દાખલ કરશે કે કેમ ? તે ચર્ચાનો વિષય બન્યો છે.