- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Water Supply Will Not Be Available In Katargam And Central Zone For Two Days, Water Line Will Be Shifted For Metro Operation.
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

સુરત પાલિકા વિસ્તારમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. મેટ્રોની કામગીરી વચ્ચે સેન્ટ્રલ ઝોનમાં પાણીની નડતરરુપ લાઈન ખસેડવાની કામગીરી કરવામા આવશે. જેથી આગામી બે દિવસ સુરત પાલિકાના સેન્ટ્રલ અને કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં. પાણીની લાઈન શિફ્ટ કરવાની કામગીરી પુરી થયાં બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામા આવશે. 24 અને 25 મેના રોજ પાણી પુરવઠો જે વિસ્તારમાં મળવાનો ન હોય ત્યાં પાણીની કરકસરપુર્વક ઉપયોગ કરવા અને જરુરિયાત પુર્વકના પાણીનો સંગ્રહ કરવા અપીલ તંત્રએ કરી છે.
750 મીમી વ્યાસની નડતરરુપ પાણીની લાઈન ખસેડાશે
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં મસ્કતિ હોસ્પિટલ પાસે મેટ્રોના સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં સુરત પાલિકાની પસાર થતી 750 મીમી વ્યાસની પાણીની લાઈન નડતરરુપ છે. આ લાઈન ખસેડવાની કામગીરી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. આ લાઈન જોડાણની કામગીરી રાજમાર્ગ પર મહિધરપુરા પોસ્ટ ઓફિસ તેમજ ક્લોક ટાવર તરફે બન્ને બાજુ હાથ ધરવામાં આવશે.
જુની લાઈનોના જોડાણો અને વાલ્વ ફિલીંગ પણ કરાશે
આ કામગીરી સાથે સાથે મસ્કતિ હોસ્પિટલ પાસે 200 મી.મી. તથા દક્ષિણ વિભાગ તરફે મહિધરપુરા પોસ્ટ ઓફિસની સામે 300 મી.મી અને મલ્ટી લેવલ પાર્કિંગની સામે તૈયબી સ્ટ્રીટમાં 300 મી.મી. તથા મલ્ટી લેવલ પાર્કિંગની સામે બુરહાની મસ્જિદ સ્ટ્રીટમાં 100 મી.મી. વ્યાસના હયાત જુની લાઈનોના જોડાણો તેમજ તેના પર વાલ્વ ફીલીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
આવતીકાલે 8 વાગ્યાથી પાણીકાપ શરૂ થશે
આ કામગીરી આવતીકાલે સવારે આઠ વાગ્યાથી શરુ કરવામા આવશે. જેના કારણે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ ઉત્તર વિભાગના તમામ વિસ્તારો તથા કતારગામ ઝોનમાં કેટલાક વિસ્તારમાં 24 મેના રોજ બુધવારે સાંજે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ દક્ષિણ વિભાગના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત 25 મે ના રોજ ગુરુવારે પણ શહેરના સેન્ટ્રલ અને કતારગામ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો મળી શકશે નહીં. બે દિવસ એટલે કે 24 અને 25 મેના રોજ પાણી પુરવઠો જે વિસ્તારમાં મળવાનો ન હોય ત્યાં પાણીની કરકસરપુર્વક ઉપયોગ કરવા અને જરુરિયાત પુર્વકના પાણીનો સંગ્રહ કરવા અપીલ પાલિકા તંત્રએ કરી છે.
આ વિસ્તારમાં પાણી પુરવઠા પર અસર થશે
બુધવારે સેન્ટ્રલ ઝોન: રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, દિલ્હી ગેટથી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર વિસ્તારમાં બુધવારે સાંજનો સપ્લાય બંધ રહેશે.
બુધવારે કતારગામ ઝોન: કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં સાંજનો સપ્લાય બંધ રહેશે.
ગુરુવારે આ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે
સેન્ટ્રલ ઝોન: બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રુદરપુરા, સોની ફળિયા અને તેની આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે.