ગાંધીનગર7 મિનિટ પેહલા
- કૉપી લિંક

પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારને લઈ ઘર, દુકાન, મંદિરો પર અવનવા શણગાર કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 10 હજાર દિવડાઓથી અવનવો શણગાર કરવામાં આવતા સાંજના સમયે મંદિર ઝળહળી ઉઠ્યું હતું. મુલાકાતીઓ આગામી 19મી નવેમ્બર સુધી આ નયનરમ્ય નજારો માણી શકશે.
10 હજાર દિવડાની મદદથી અનોખો શણગાર કરાયો અક્ષરધામ મંદિર