- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- ધનતેરસ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક કલાક લાંબી આતશબાજીનું પ્રદર્શન, બાળકો અને વાહનચાલકોએ રોશનીથી ઝળહળેલા આકાશનો આનંદ માણ્યો
રાજકોટ3 મિનિટ પેહલા
- કૉપી લિંક

ઉજાસનો પર્વ એટલે દિવાળી. હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવતી હોય છે તેમાં પણ રાજકોટની વાત કરવામાં આવે તો તહેવાર કોઈ પણ હોય તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ છે. ખાસ કરી દિવાળીનો પર્વ જ્યારે સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સતત 40 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ રીતે આજે પણ ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા અને એક કલાક સુધી ભવ્ય આતશબાજી નિહાળી હતી.
બાળકોથી મોટેરાઓએ આતશબાજીનો આનંદ માણ્યો રાજકોટમાં દિવાળીનો