Monday, November 6, 2023

Arrest of Surendranagar activists protesting against Gandhinagar Raj Bhavan | ગાંધીનગર રાજભવન સામે ધરણા પ્રદર્શન કરતા સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓની ધરપકડ

3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી રહેમ રાહે નોકરીની યોજના અંતર્ગત અનેક કર્મચારીઓમાં આશ્રિતોને સરકારના ઠરાવનું ખોટુ અર્થઘટન કરીને યોજનાના લાભોથી વંચિત રાખવામાં આવ્યા. આ તમામને નોકરીની યોજનામાં થયેલ ગેર-સંવિધાનિક સરકારી નીતિ અને મન મરજી મુજબની નીતિથી ચાલતી સરકારી વ્યવસ્થાના વિરોધમાં તથા સંવિધાનિક પ્રશાસનિક નીતિને લાગૂ કરવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર રાજભવન સામે બે દિવસીય ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ પ્રદર્શનમાં સુરેન્દ્રનગર જીલ્લાના હર્ષદભાઈ પરમાર સાથે સાથી કાર્યકર્તાઓ અશોકભાઈ ચાવડા, સી.ડી.ડોરીયા, પ્રેમજીભાઈ રાઠોડ, દિગંતભાઈ વાઢેર, ગિરીશભાઈ પરમાર, હસુભાઈ મકવાણા, કરશનભાઈ વાણીયા, મહિપતસિંહ પરમાર, જયરાજ સમ્રાટ, ગજેન્દ્રભાઈ ચાવડા, જયેશભાઈ શાહ વગેરે અગ્રણીઓ સામેલ હતા. જોકે, આ પ્રદર્શન કરતા અગ્રણીઓની ગાંધીનગર પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી.