સુરત3 કલાક પેહલા
- કૉપી લિંક

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના લોકો માટે સતત મુસાફરીને લઈ ચર્ચાઓ સામે આવતી રહેતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા યુપી-બિહારવાસીઓ માટે ચર્ચા ખૂબ ઓછી થતી હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતને પોતાની કર્મભૂમિ માનીને લાખોની સંખ્યામાં બિહાર-યુપીવાસીઓ અહીં રહે છે. જે લોકો દિવાળી-છઠ પૂજા કે અન્ય કોઈ તહેવાર, લગ્નસરા હોય ત્યારે અહીંથી વતન તરફ જતા હોય ત્યારે મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરે છે, કારણ કે લાખોની સંખ્યામાં મુસાફરો હોવા છતાં સુરતથી વારાણસી અને બિહાર તરફ જતી રોજની એકમાત્ર ટ્રેન છે. મુસાફરોની વધતી ભીડને લઈ વધુ ટ્રેનો ચાલુ કરવા માટે અગાઉ આંદોલન થઈ ચૂક્યું હતું, રેલવે અધિકારીઓએ મુશ્કેલીની વાત પણ સ્વીકારી હતી, પરંતુ હજુ સુધી આ મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અંતે, મુસાફરો વધતા જાય છે અને સ્થિતિ ખરાબ થઈ જાય છે.

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ.
લાખો મુસાફરો સામે માત્ર ટ્રેન મળતી માહિતી અનુસાર, સુરત સહિત