
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનની જેલમાં બંધ 80 જેટલા માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યારાજ્યના અલગજ-અલગ દરિયાયી સરહદ ધરાવતા જિલ્લાના માછીમારો પોતાના વ્યવસાયને લઇ દરીયો ખેડવા જતા હોય છે. માછીમારી દરમિયાન પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા તેઓને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે. જેમાંથી 80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યના મત્સ્ય વિભાગના આસિસ્ટન્ટ ડિરેકટર જીગ્નેશ કુમાર સહિતના અધિકારીઓએ 10મીએ રાત્રે વાઘા બોર્ડર ખાતેથી મુક્ત કરાયેલ તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો. બાદમાં ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવ્યા હતા અને બાદમાં બસ દ્વારા તેઓના માદરે વતને રવાના કરવામાં આવ્યા હતા.