સિદ્ધપુરએક મિનિટ પેહલા
- કૉપી લિંક

સિદ્ધપુર|શહેરમાં જૂની વ્હોરવાડમાં એક અતિપ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરનો મહિમા અનુસાર સને ૧૯૧૦માં પ્રસિદ્ધ થયેલું આ હનુમાન મંદિરની પ્રતિષ્ઠા ગુર્જરપતિ સિદ્ધરાજે કરેલી હોવાનું મનાય છે. અગાઉ આ મંદિરનો વહીવટ હિંદ મહાજન હસ્તક હતો પણ છેલ્લા બે દાયકા જેટલા સમયથી મંદિરનો જિર્ણોદ્ધાર કરીને એનો કારોબાર બલવિર ચેરિટેબલ ટ્રસ્ટ સંભાળે છે. બલવિર ચેરિટેબલ ટ્રસ્ટ ના યુવાન કાર્યકરો દ્વારા કાળી ચૌદસની વહેલી પરોઢે પ્રથમ પ્રહરમાં હનુમાનદાદાને થાળ ધરાવાય છે. જે અનુસાર થાળમાં જીરાવાળા મોળાં, તીખાં, અજમાવાળા એમ વિવિધ પ્રકારના વડાં તેમજ દૂધપાક, ખીર, પંચકણિયું શાક, ભીંડાનું શાક, પુરી, રોટલી, પૂરણપોળી, રાયતું, તળેલા પાપડ વગેરેનો ભોગ હનુમાનજીને ધરાવ્યો હતો.