અમરેલી4 કલાક પેહલા
- કૉપી લિંક

ગ્રામીણ અને વંચિત વિસ્તારમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યની ચિંતા કરી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ મહિલાઓને એલજીપી કનેક્શન આપવામાં આવ્યા છે જેના દ્વારા મહિલાઓ લાકડા કોલસો કે ગોબરનો ઉપયોગ કર્યા વગર રસોઈ કરી શકે છે. આ કડીના ભાગરૂપે આજે અમરેલી તાલુકાના શેડુભાર ગામે અમરેલી-વડિયા-કુંકાવાવ મતવિસ્તારના ઘારાસભ્ય અને ગુજરાત વિધાસનભાના નાયબ મુખ્યદંડક કોશિક વેકરીયાના હસ્તે 24 મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના બાટલા ચુલ્લા અને ગેસ પાઇપનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે નાયબમુખ્યદંડક કૌશીક વેકેરિયાએ જણાવ્યું હતું દેશમાં સામાન્ય અને ગરીબ પરિવારોની મહિલાઓને પહેલીવાર ગેસના બાટલાઓ વિતરણ કરવાનો વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. વડાપ્રધાનએ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમને પારંપારિક ઈંઘણથી કાર્યરત ચુલ્લાઓના વપરાશમાંથી મુક્તિ અપાવી. અગાઉ આ વ્યવસ્થાના લીધે મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હતી. આજે આ ગેસના ચુલ્લાઓ અને બાટલા મળતા શેડુભારના પરિવારોમાં દીવાળી જેવો માહોલ સરકારની યોજનાઓના કારણે આવ્યો છે. શેડુભારમાં અત્યારસુધીમાં 175 કરતાં વધુ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે ત્યારે ગામના સક્રિય સરપંચ સહિતના આગેવાનોને પણ નાયબ મુખ્યદંડક એ અભિનંદન પાઠવ્યા હતા અને દીવાળીની શુભેચ્છાઓ આપી હતી.

નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરીયાએ સ્થાનિક ગ્રામજનોને રાજ્ય