સુરતએક મિનિટ પેહલા
- કૉપી લિંક


કાળી ચૌદસ નિમિત્તે સૈયદપુરાના મહાકાળી મંદિરે દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી. જયેશભાઈ મહંતે જણાવ્યું હતું કે લગભગ સાડા ચારસો વર્ષથી વધારે જૂની મંદિરની પરંપરા છે. લગભગ 8 પેઢીથી અમે મંદિરની સેવા પૂજા કરીએ છીએ. દર વર્ષે કાળીચૌદશમાં સાંજના 7 થી 9 દરમિયાન માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. માત્ર સુરત શહેર જ નહીં પરંતુ દૂરના શહેરોમાંથી પણ કાળી ચૌદસના દિવસે માતાજીના દર્શન કરવા ભક્તો આવે છે. કાળી ચૌદસના દિવસે મહાશક્તિની ખાસ પૂજા કરવામાં આવે છે અને તે પૂજા પછી દર્શન ખૂબ જ મહાત્મ્ય હોવાથી ભક્તો દર્શનનો લહાવો ચૂકતા નથી.