વ્યારા4 મિનિટ પેહલા
- કૉપી લિંક

આજના મોબાઈલ યુગમાં બાળકો મોબાઇલ અને ઇલેક્ટ્રીક વસ્તુઓથી દૂર ખસતા નથી તેવા સમયે વ્યારા નગરમાં રામ કબીર સોસાયટીમાં રહેતા અને અન્ય વિસ્તારમાં રહેતા બાળકો દ્વારા રામકબીર સોસાયટીમાં આ વર્ષે પોતાના ઘરે જ પોતાના હાથથી વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી દીવડાઓ બનાવી પોતાના ઘરે ઉપયોગ કરશે સાથે ગરીબ બાળકોને પણ દીવડાઓ આપી સાર્થક દિવાળી ઉજવશે આ અંગે નિરાલીબેન પરમાર એ જણાવ્યું હતું કે બાળકો એક અઠવાડિયા થી ટ્રેનિંગ લઈ પિસ્તા ના છોડા ને કલર કામ ઉપયોગ કરી તેના દિવડાઓ બનાવ્યા છે.તેમજ તરોપાની ઉપર આવતા છાલને ઉપયોગમાં લઈ તેના પણ કલરિંગ દિવડાવો બનાવ્યા છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવી પોતાના ઘરોમાં દિવાળી દરમિયાન આનો ઉપયોગ કરશે અને આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને પણ આ ચીજોનું વિતરણ કરશે.