આણંદ23 મિનિટ પહેલા
- કૉપી લિંક

- આચાર્યએ ચઢામણીનો આક્ષેપ કરતા મડાગાંઠ યથાવત
- વાલીઓની બુધવારે ફરી શાળાને તાળાબંધી કરવાની ચીમકી
ઉમરેઠ તાલુકાના શીલી ગામની સિધ્ધનાથ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષિકાના પ્રેમ પ્રકરણને લઇને સોમવારે ગ્રામજનો સ્કૂલને તાળાબંધી કરીને આચાર્ય સસ્પેન્ડ માંગ કરી હતી. રાત્રે ગામના આગેવાનોઅે સમજાવટથી મામલો થાળે પાળવાનો પ્રયાસ કરીને બાળકોના હિતમાં શાળા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.
જોકે મંગળવારે માત્ર ધો.12ના વર્ગ ચાલુ રહ્યા હતાે જેમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. મંગળવારે વાલીઓઅે શાળા કમિટિ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. જેમાં આચાર્યે આશ્રમના મહંત સામે ખોટા આક્ષેપ કરતાં ગ્રામજનોએ બુધવારે પુનઃ તાળા બંધીની ચીમકી આપી હતી.
વાલી જગદીશ ચાવડાઅે જણાવ્યું હતું કે, સિધ્ધનાથ વિદ્યાલયમાં મંગળવારે વાલીઓ અને મંડળના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. શાળામાં ગામના આગેવાનો, વાલીઓ, શીલી કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, સદગુરુ મંદિરના ગાદીપતિ શરદરાય મહારાજ, તેમજ જિલ્લા શિક્ષણ વિભાગના તપાસકર્તાઓ ની હાજરીમાં કમિટીની રચના કરાઈ હતી.
જેમાં એક માસમાં શાળાના આચાર્ય વિરુધ્ધના આક્ષેપો અને પ્રતીઆક્ષેપો ની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસના બગડે તે માટે શાળા શરૂ કરવામાં આવી હતી .પરંતુ મીટીંગ પૂર્ણ થયા બાદ આચાર્ય વિનુ પરમારે ગાદીપતિ સામે ચઢામણીનો અાક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.
કમિટી તપાસ કરીને 1 માસ રિપોર્ટ સુપરત કરશે
આણંદ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમે શીલી હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી. તેમજ વાલીઓ સાથે તેમજ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી હતી. તેમજ જવાબદાર આચાર્યને નોટીસ પાઠવી હતી. કેળવણી મંડળને 5 સભ્યોની કમિટી બનાવીને તપાસ કરીને રીપોર્ટ તૈયાર કરશે.