Wednesday, December 28, 2022

126 વર્ષ પૂર્વે બંગાળની ખાડી,પર્શિયાના અખાતમાંથી લીધેલા નમૂનાનું સંશોધન કરતા કરચલાની નવી જ પ્રજાતિ ‘બેલાયરા પરસિકમ’ મળી | A new species of crab 'Bellaira persicum' was discovered by researching a sample taken from the Bay of Bengal, Persian Gulf 126 years ago.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A New Species Of Crab ‘Bellaira Persicum’ Was Discovered By Researching A Sample Taken From The Bay Of Bengal, Persian Gulf 126 Years Ago.

પાટણ38 મિનિટ પહેલાલેખક: તેજસ રાવળ

  • કૉપી લિંક
  • વિશ્વમાં દરિયાઈ કરચલાની નવી પ્રજાતિની શોધ કરાઇ , ભારતમાં કરચલાની કુલ 910 પ્રજાતિ છે
  • ઝુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં રખાયેલા નમૂના પર સિંગાપોર, ઈરાન,કલકત્તા, પાટણના સંશોધક દ્વારા સંશોધન ચાલતું હતું

વિશ્વમાં દરિયાઈ જીવોની નવી પ્રજાતિની શોધ માટે દેશ-વિદેશના સંશોધકો સંશોધન કરી રહ્યા છે. જેમાં 5 સંશોધકની ટીમ દ્વારા 126 વર્ષ પૂર્વે લીધેલા નમૂના ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં રાખેલા હતા જેના પર સંશોધન કરતા વિશ્વમાં દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ મળી આવી છે. દેશમાં હાલ દરિયાઈ કરચલાની કુલ 910 પ્રજાતિ છે.જેમાં વધુ એક પ્રજાતિનો વધારો થયો છે.

વિશ્વમાં કરચલાની જાતિના સંશોધનના ભાગ રૂપે વર્ષો પૂર્વે બંગાળના અખાત અને ઓમાન પાસે આવેલ પરસિયાના અખાત માંથી લીધેલા કરચલાના નમૂના ઝુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કલકત્તા ખાતે રાખવામાં આવેલા હતા.

નવી જ પ્રજાતિ હોવાનું બહાર આવ્યું

જેના સંશોધન માટે હેમચંદ્રાચાર્ય યુનિ. ના જીવવિજ્ઞાનના પ્રો.ડૉ.જીજ્ઞેશ ત્રિવેદી, ઝુલાજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડૉ.શાન્તનું મિત્રા, નેશનલ યુનિ.ઓફ સિંગાપુરના ડૉ. પીટર અંગ અને ડૉ. નગન કી અંગ તેમજ યુનિવર્સિટી ઓફ તેહરાન ઇરાનના ડૉ. રેઝા નાડરેલુની ટીમ દ્વારા સંશોધન કરવામાં આવતા બે વર્ષના અંતે એક નવી જ પ્રજાતિ હોવાનું બહાર આવ્યું હતું.

નવી જાતિના નામની વિચારણા બાદ ટીમ દ્વારા ઇજરાયેલના વૈજ્ઞાનિક બેલા ગલિલ આ કરચલાંની જાતિના કુળ (લ્યુકોસીડી) પર લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા હોય તેમના નામ પર બેલાયરા નામ આપવામાં આવ્યું છે.એજ નમૂનામાંથી નવી પ્રજાતિ મળી આવી હોય નમૂના પર્શિયાના અખાતમાંથી લવાયેલા હોય તેનું નામ બેલાયરા પરસિકમ રાખવામાં આવ્યું છે. ઉપરાંત પ્રો.ત્રિવેદીની ટીમ દ્વારા છેલ્લા 2 વર્ષમાં છાપગેરસ અને આલ્કોલાયરા નામની બીજી બે નવી પ્રજાતિની શોધ કરાઈ છે.

1896 માં અંગ્રેજ જહાજ દ્વારા કરચલાના નમૂના લેવામાં આવ્યા હતા
1896 માં એટલે કે 126 વર્ષ પૂર્વે બંગાળની ખાડી અને પર્શિયાના અખાત માંથી અંગ્રેજ જહાજ દ્વારા નવીન પ્રકારના કરચલાના નમુના લેવામાં આવ્યા હતા.આ નમુના ઝુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, કલકતા ખાતે સંગ્રહાલયમાં વર્ષોથી મુકેલ હતા.આ નમૂના પર કોઈ શોધ થઈ ના હોય બે વર્ષ પૂર્વે ત્રણ દેશના કરચલાં સંશોધકોની ટીમે કામ શરૂ કરતાં નવી નવી પ્રજાતિ મળી આવી છે. > ડૉ.જીગ્નેશ ત્રિવેદી પ્રોફેસર હેમચંદ્રાચાર્ય યુનિ.

કરચલાની 3 જાતિ, એક પ્રજાતિ

જાતિ પ્રજાતિ
બેલાયરા
છાય ગેરસ
આલ્કો લાયરા

બેલાયરા પરસિકમ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: