મુસ્તુફા કબીર લોટાએ જણાવ્યું હતું કે અમે સોખડાના રહેવાસી છીએ. અમે ખાટલાનો વ્યવસાય છે.જેમાં અમે લાકડાના ખાટલા, રજવાડી ખાટલા અને સ્ટીલના ખાટલા બનાવીએ છીએ.જે રજવાડી વસ્તુ જે છે તે લુપ્ત થતી જતી હતી. જેમ કે ખાટલા.જેથી અમેનવા લુક સાથે ખાટલા બનાવીએ છીએ.
અમે આ ધંધા સાથે 15 વર્ષથી જોડાયેલા છે. મારા દાદા આ કામ કરતા પછી મારા પપ્પા અને હવે અમે આ ધંધો સંભાળ્યો છે. અત્યારે લોકોના ઘરમાં સંકળાશ વધારે છે. જેથી લોકો ઘરમા ખાટલા રાખી શકતા નથી.અત્યારે ખાટલાના કારીગરો પણ લુપ્તથઈ રહ્યાં છે.
હેન્ડ વર્ક હોય એટલે થોડો માથાનો દુખાવો પણ રહે છે. પણ ખાટલામાં સુવાના ઘણા ફાયદા છે. પહેલાના જમાનામાં લોકોખાટલામાં જ સુતા હતા.ખાટલામાં સુવાથી કરમના દુખાવા અને સ્નાયુના દુખાવામાં પણ રાહત મળે છે. આ સાથે જ ઉંઘ પણ ખુબસારી આવે છે.
અમારી પાસે નાની ખાટલીથી લઈને મોટા ખાટલા સુધી છે.નાની ખાટલીઓ 1500થી 7500 સુધીની છે. જ્યારે ખાટલા અમારીપાસે 2200થી લઈને 40 હજાર સુધીના ખાટલા છે.અલગ અલગ ડિઝાઈનના અમારી પાસે ખાટલા છે.
પહેલા અમારે ખેતીનો વ્યવસાય હતો પણ એમાં અમને વધારે મળતુ કે સુજતુ નહીં એટલે અમે રાજકોટમાં આવીને આ ખાટલાનોવ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં અમે હવે સારી કમાણી કરી શકીએ છીએ.અમારા ખાટલા રાજકોટમાં જ નહીં ગુજરાતમાં જ નહીંપણ ઓલ ઓવર ઈન્ડિયામાં જાય છે. આ સાથે જ અમારા ખાટલા એક્સપોર્ટ પણ થાય છે.
ખાટલા લેવા હોય તો એકવાર અહિંયા મુલાકાત જરૂર લેજો—https://g.page/r/Cf-G9PrSS97IEA0
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર