Sunday, December 25, 2022

સવાણી પરિવારે કન્યાદાન કરી 150 દીકરીને સાસરે વળાવી

સુરત: છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવી એવા પી.પી.સવાણી પરીવારના આંગણે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોના હસ્તે કન્યાદાન કરીને 150 દીકરીને સાસરે વળાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 150 નવદંપતિઓને સુખમય દામ્પત્ય જીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મુખ્યમંત્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો

આ સાથે મુખ્યમંત્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. જેમાં CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના એક હજાર બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારી કરાવાશે. વિશેષત: આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ.શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: તુનિષા શર્માએ જીવન પ્રેમીના નામે કરી દીધું હતું, હાથ પર ટેટૂમાં ચિતરાવ્યો ખાસ મેસેજ

‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરાયું

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવીએ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે.‘ ‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ આયોજિત ‘દીકરી જગત જનની સમૂહ લગ્ન’ અંતર્ગત પીપી સવાણી સ્કૂલ નજીક અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં શનિવારે પ્રથમ ચરણમાં 150 દીકરીઓના ધામધૂમ પૂર્વક લગ્ન યોજાયા હતા. જેમાં બે મુસ્લિમ અને એક ખ્રિસ્તી યુગલે પણ નવજીવનમાં ડગ માંડ્યા હતા.

આ પણ વાંચો: ચાઈનીઝ દોરીથી વિદેશી પેરાગ્લાઈડરનું મોત, દોરી વાગતાં જમીન પર પટકાયા

લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું

લગ્ન પ્રસંગને માણવા લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ઢબુકતા ઢોલ સાથે સમી સાંજે 6 વાગ્યે વર-વધુનું લગ્નમંડપમાં આગમન થયુ હતુ. અને બાદમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ શરૂ થઇ હતી. સાથે આ પ્રસંગે સ્ટેજ પરથી પધારેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. મહેશ સવાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ. અને દીકરીઓને 10 શિખામણનો કરિયાવર આપ્યો હતો.  ત્યારબાદ એક લાખથી વધુનો અંગદાન સંકલ્પ અને 1000 વિદ્યાર્થી દત્તક યોજનાની જાહેરાત કરાઈ હતી. અંગદાનના સંકલ્પની ત્રણ રેકોર્ડની ગિનીસ બુકમાં નોંધ લેવાઈ છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે વડોદરાને રાજ્યના સૌથી લાંબા બ્રિજની આપી ભેટ

મુખ્યમંત્રીએ સવાણી અને લખાણી પરિવારને અભિનંદન પાઠવ્યા

મહેશ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ 2012થી સામૂહિક લગ્નોત્સવ બાદ હવે આ વર્ષે પણ સપ્તાહમાં જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી તેઓ ‘દીકરી જગત જનની’ યોજી રહ્યા છે. જેનો સહર્ષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ સવાણી અને લખાણી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતા જણાવ્યું કે, ‘જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે.’ જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે.

આ પણ વાંચો: IGI એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન પોલીસે 50 લાખનું સોનું લૂંટ્યું

સવાણી પરિવાર દ્વારા અનેક દિકરીઓનું કન્યાદાન કરાયું

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, ‘પિતા વિહોણી દીકરીઓની ધામધૂમથી લગ્ન જીવનની બક્ષિસ આપીને સમાજને નવો સંદેશ આપ્યો છે. સુરત આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબધ્ધ થઈને અંગદાનમાં જોડાયા એ સુરતના નામે વધુ એક સિધ્ધી છે. આ સમૂહ લગ્ન થકી નવા અને ઉમદા વિચારો દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે જોડીને પરિવારને એક તાંતણે બાંધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.’

આ પણ વાંચો: સુરતમાં ખુની ખેલ ખેલાયો, નોકરી માટે ત્રિપલ મર્ડર, 2 સગીર આરોપીઓની ધરપકડ

4572 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરાયું

સ્વાગત પ્રવચન કરતા પી.પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. તેમણે જીવનના નવા પડાવમાં જઈ રહેલી દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, ‘સાસરે જઈને પરિવારને સ્નેહના તાંતણે બાંધજે, વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. ઉત્તમ નારીત્વનુ ઉદાહરણ પૂરૂ પાડજે, ઉત્તમ વહુ અને માતા બનીને ઉચ્ચ સંસ્કારયુકત સંતાનોને જન્મ આપવાની શુભકામનાઓ પાઠવી હતી.’

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Mahesh Savani, Mass marriage, Surat news

Related Posts: