ભરૂચ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રવિવારે ગીતા જયંતીના ઉપલક્ષમાં શોર્ય યાત્રા યોજી હતી. શહેરના જૂના ભરૂચ, શક્તિનાથ, પાંચબત્તી, સોનેરી મહેલ, સ્ટેશન રોડ સહિતના વિવિધ વિસ્તારમાંથી 2 હજારથી વધુ યુવકોએ ભગવા ઝંડો, ખેસ સાથે શોર્ય સંચલન કર્યું હતું. જે બાદ શોર્ય યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી. જ્યાં યુવકોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી.

વિવિધ અગ્રણીઓ જોડાયા
શોર્ય યાત્રા અને સભામાં વિહિપ, બજરંગ દળ અને સંઘના આગેવાનો, કાર્યકરો તેમજ ભરૂચ, શુકલતીર્થ અને દહેજ પ્રખંડના યુવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે…