વ્યારા33 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સમયસર સારવાર મળતાં પશુના જીવ બચતા પશુ પાલકને રાહત
વ્યારા તાલુકાના જાખરી ગામે પશુપાલકને ત્યાં ગાયની તકલીફ પડતા મુશ્કેલી સર્જાય હતી એક તબક્કે ગાયનો જીવ બચાવવા માટે 1962 ફરતા પશુ દવાખાનામાં સંપર્ક કરતા તાત્કાલિક ટીમ દ્વારા પશુ પાલક ના ઘરે જઈ સારવાર આપી પશુ અને સમયસર ગર્ભમાંથી બે બચ્ચાઓ જેમાં એક વાછરડી અને એક વાછરડાને જન્મ આપી બહાર કાઢી ત્રણે જીવને બચાવી લેવામાં આવ્યા હતા.
વ્યારા તાલુકાના ઝાંખરી ગામે પશુપાલક રિતેશભાઈ દિનેશભાઈ ગામીતના ઘરે ગાયને વિયાણમાં તકલીફ પડી હતી, જેને લઈ તાત્કાલિક સારવાર મળે અને ગાય સહિત બચ્ચાઓને ઉગારી શકાય તે માટેના પ્રયત્નો આદર્યા હતા, જેમાં પશુપાલકને પશુ તબીબને બોલાવવા કરતા યોગ્ય સારવાર મળે તે માટે પશુપાલકના ધ્યાને 10 ગામથી મફત ફરતું પશુઓ માટે તાત્કાલિક પહોંચતું દવાખાનુ 1962 પર સંપર્ક કર્યો હતો.
ગાયના માલિક અને પશુપાલક દ્વારા ફોન કરતા ડોલારા લોકેશનના આધારે 1962ની ટીમનાં ડો કાર્તિક ગામિત અને પાયલોટ કમ ડ્રેસ દેવેન્દ્ર ચૌધરી તાત્કાલિક અને સમયસર સ્થળ પર પહોંચી ગયા હતા અને ગાયના જોડિયા બચ્ચાને સારવાર કરી સમયસર ગર્ભમાંથી બે બચ્ચાઓ જેમાં એક વાછરડી અને એક વાછરડાને જન્મ આપી બહાર કાઢી ત્રણે જીવને બચાવી લેવામાં આવ્યા હતા.