Friday, December 23, 2022

વલસાડમાં STP થી વોર્ડ નં.1 સુધી ડ્રેનેજ નાંખવામાં રેલવેનું ગ્રહણ | Railways involved in laying drainage from STP to Ward No.1 in Valsad

વલસાડ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • STP લાઇન માટે રેલવેની પરવાનગીનો મુદ્દો ઉઠ્યો

વલસાડ નગરપાલિકાના હદ વિસ્તારમાં વોર્ડ નં.1માં આંધિયાવાડ ખાતે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન હોવા છતાં નવા ડ્રેનેજ જોડાણો આપવા માટે કામગીરી થઇ શકી નથી.આ વિસ્તારમાં નવા જોડાણો આપવા પહેલાં ડ્રેનેજ લાઇન વલસાડના પારડીસાંઢપોર સ્થિત એસટીપી પ્લાન્ટ સુધી લઇ જવી પડે તેમ છે.પાલિકાના વોર્ડ નં.1 વિસ્તારમાં અંતરિયાળ ડ્રેનેજ લાઇનો નાંખી દેવામાં આવી છે.આ ડ્રેનેજ લાઇન આંધિયાવાડ પાસે પમ્પિંગ સ્ટેશન સુધી ડ્રેનેજ પાણી લઇ જવા માટે તૈયાર થઇ ગઇ છે.

પરંતું આ ડ્રેનેજ લાઇનમાં આવતું પાણી વલસાડ પારડીસાંઢપોર ખાતે આવેલા નગરપાલિકાના એસટીપી પ્લાન્ટ સુધી જવાની રહે છે.પરંતું આ લાઇન નાંખી દેવા માટે પાલિકાને પારડીસાંઢપોર અને વલસાડ શહેર વચ્ચે આાવતી રેલવે લાઇનના નાળાને લઇ રેલવે વિભાગની પરવાનગી લેવી પડે તેમ છે.આ પરવાનગી માટે પાલિકા તંત્ર દ્વારા મુંબઇ ડિ‌વિઝન સુધી રજૂઆતો કરી છે.ડ્રેનેજ લાઇન એસટીપી પ્લાન્ટ સુધી લઇ જવા માટે જ્યાં સુધી રેલવે તંત્રની પરવાનગી હજી ન મળતાં ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરીને ગ્રહણ લાગી ગયું છે.

400 ફુટ સુધીની લાઇન રેલવે નાળામાંથી નાખવા પડશે
વલસાડ નગરપાલિકાના વોર્ડ નં.1માં આંધિયાવાડમાં પમ્પિંગ સ્ટેશન પરથી ડ્રેનેજનું પાણી પારડીસાંઢપોરમાં પાલિકા સંચાલિત એસટીપીમાં લઇ જવા વચ્ચે આવતા રેલવેના નાળામાંથી પસાર કરવાની થાય છે.જેમાં રેલવેની પ્રિમાઇસિસમાંથી અંદાજિત 400 ફુટની લાઇન પસાર કરવી પડે તેમ છે.જેના માટે રેલવેની પરવાનગી સહિતના પ્રયાસો જારી છે તેવું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: