મહેસાણા10 મિનિટ પહેલા
- કૉપી લિંક

આજે કેન્દ્રિય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વિજાપુરના પીલવાઇ ખાતે શેઠ જી.સી હાઇસ્કૂલ ટ્રસ્ટ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સ્નેહ સંમેલન યોજાયો હતો. શેઠ જી.સી હાઇસ્કુલ પીલવઇની સ્થાપના 1927માં થઇ હતી. સંસ્થા તેના 95 વર્ષ પૂર્ણ કરી 100 વર્ષ 2027માં ગૌરવ સાથે પૂર્ણ થઈ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે અને સંસ્થાના 95 વર્ષ નિમિતે આજ સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સ્નેહ સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો.

મારા પિતા જે શાળામાં ભણ્યા એજ શાળામાં મને આમંત્રણ આપ્યું-અમિત શાહ
આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, જે શાળામાં મારા પિતાજી મારી પત્નીના પિતાજી ભણ્યા એજ શાળામાં મને આમંત્રણ આપ્યું એ બદલ એમના રૂણ ચૂકવવાનો મને મોકો આપ્યો વધુમાં જણાવ્યું કે એક સંસ્થા 95 વર્ષ ચાંલે એનો અર્થ જ એ થાય કે એનો પાયો જેણે નાખ્યો ખૂબ પવિત્રતાથી પાયો નાખ્યો 95 વર્ષ વ્યક્તિનું પણ જીવવું બહુ મુશ્કેલ છે અને સંસ્થા નું જીવવું પણ એના કરતાં પણ વધુ મુશ્કેલ હોય મને સંસ્થા ચલાવવાનો અનુભવ છે.

2થી 7 વર્ષમાં સમગ્ર દેશમાં બાળકો પોતાની માતૃભાષામાં ભણી શકશે
આજે અહીંયા કોમ્પ્યુટર લેબ સોલાર સિસ્ટમ નું ઉદ્ઘાટન કર્યુ.દેશમાં પરિવર્તન PM મોદીએ નવી શિક્ષણ નીતિની શરૂઆત કરી.25 વર્ષમાં આ નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા પછી ભારત ને દુનિયામાં નંબર 1 બનતા કોઈ ન રોકી શકે.વની શિક્ષણ પદ્ધતિ ની અંદર મૂળભૂત પરિવર્તન સૌથી મોટું પરિવર્તન બધી એજ્યુકેશન સિસ્ટમ બધી શિક્ષણ પદ્ધતિ ધીરેધીરે બાળક ની માતૃ ભાષા ની અંદર ભણાવવાનું ચાલુ કરવાનું આપડે નવી શિક્ષણ નીતિમાં ચાલુ કર્યું.બાળક માતાની ભાષામાં ભને માતાની ભાષા બોલે વિચારે ત્યારે વિચારવાની ક્ષમતા પણ વધે અને ગુણ પણ વિકસિત થાય એ બધી વસ્તુ માટે BJP એ મોદી સરકારે નવી શિક્ષણ નીતિ અંદર એક મૂળભૂત વ્યવસ્થા કરી.પ્રાથમિક અને સેકન્ડરી શિક્ષણ બને ત્યા સુધી માતૃભાષા માં કરવું થોડા સમયમાં અવનારા 2 થી 7 વર્ષમાં સમગ્ર દેશ માં દરેક બાળક પોતાના માતૃભાષા માં અભ્યાસ કરતું હશે.અને એની માતા એણે પોતાની ભાષામાં ભણાવી શકશે. ટેક્નિકલ શિક્ષણ ,મેડિકલ શિક્ષણ , ઉચ્ચ શિક્ષણ બધા જ અભ્યાસ કરવો ભારતની બધી મુક્ત ભાષાઓમાં ભાષાંતર ચાલું થયું છે.
