અમદાવાદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત રાજ્યની સરકાર તથા જિલ્લા પંચાયતો દ્વારા ચાલતી પ્રાથમિક સ્કૂલોના બિલ્ડીંગમાં સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવા માંગણી કરવામાં આવી છે.ભારતીય સંસ્કૃતિના જતન માટે સ્કૂલોમાં સરસ્વતીનું મંદિર જરૂરી છે જેથી સ્કૂલોમાં સરસ્વતીનું મૂર્તિ રાખવા શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.
શાળા સંચાલક મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે પુરાણોમાં દરેક કામ માટે વિવિધ દેવી દેવતાના સિમ્બોલ હજારો વર્ષોથી ચાલી રહ્યા છે.અભ્યાસ અને શિક્ષણ માટે સરસ્વતીનું સ્મરણ કરવામાં અવર છે અને સરસ્વતી જ્ઞાનના દેવી છે જેથી હવે અત્યારની સરકારી પ્રાથમિક સ્કૂલોન બિલ્ડીંગ અને પછીથી બનનાર નવા બિલ્ડીંગમાં અઢીથી ત્રણ ફૂટની ઊંચાઈવાડી બેઠેલી મુદ્રામાં સરસ્વતીની મૂર્તિ સ્થાપના થવી જોઈએ.સ્કૂલમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓને સામે જ દર્શન ઉપલબ્ધ કરાવવા જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનેક ફાયદા થશે.
સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવાથી સ્કૂલના વાતાવરણમાં બદલાવ થશે.પુરાતન સંસ્કૃતિના જતન માટે એટલે કે સ્કૂલોએ સરસ્વતીનું મંદિર છે અને ત્યાં માં સરસ્વતીની ઉપલબ્ધીથી કોઈ વાંધો ન હોય શકે.શિક્ષણકાર્યની શરૂઆત સરસ્વતી વંદનાથી થતી હોય છે.આ બાબત ધાર્મિક શિક્ષણના દાયરામાં પણ આવતી નથી જેથી સ્થાપના કરી શકાય છે.લઘુમતી સ્કૂલોન સંચાલકોને બાકાત કરી તેમના પર નિણર્ય છોડીને અન્ય સ્કૂલોમાં મૂર્તિ સ્થાપવી જોઈએ.રાજ્ય સરકાર એક સમાન ડિઝાઇન બનાવીને સરક્યુલેટ કરે તે જરૂરી છે.આ માટે રાજ્ય સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવે અને કામ પૂર્ણ કરવા ડેડલાઈન પણ જાહેર કરે.