- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- Most Of The Trains Running Late Between Dungri And Bilimora Railway Stations Were Stranded, With The Alleged Lack Of Prior Notification Of The Mega Block.
વલસાડ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડના ડુંગરી અને નવસારી જિલ્લાના બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે રવિવારે મેગા બ્લોકને કારણે કેટલીય ટ્રેનને અસર પહોંચી હતી. જેથી કેટલીય ટ્રેનો મોડી પહોંચતા અનેક યાત્રીઓ અટવાયા હતા. વલસાડના રેલવે સ્ટેશન ખાતે યાત્રીઓએ હંગામો મચાવ્યો હતો. મેગા બ્લોકની અગાઉથી જાણ ન કરી હોવાના પણ યાત્રીઓએ આક્ષેપ કર્યો હતો.

રેલવે યાત્રીઓ અકળાઈ ઉઠયા
વલસાડના ડુંગરી અને નવસારી જિલ્લાના બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે રવિવારે મેગા બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર પહોંચી હતી. ડુંગરી અને બીલીમોરા સ્ટેશન વચ્ચે પુલના મજબૂતીકરણની કામગીરી હાથ ધરવા માટે 25 ડિસેમ્બરના રવિવારના રોજ 09.35 કલાકથી 14.35 કલાક સુધી અપ અને ડાઉન લાઈનો ઉપરના બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો લેટ થઈ હતી. જેને લઈને રેલવે યાત્રીઓ અકળાઈ ઉઠયા હતા. રેલવે વિભાગ પાસે રિઝર્વેશનના યાત્રીઓના ફોન નંબર હોવા છત્તા વિભાગ દ્વારા એડવાન્સમાં મેગા બ્લોક હોવાના કારણે તમારી ટ્રેન નિયત સમય કરતાં મોડી પહોંચાડશે તેવી આગોતરી જાણ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ ARM સમક્ષ રેલવે યાત્રીઓએ કર્યા હતા.

ઘણી ટ્રેનો નિયત સમય કરતાં મોડી પહોંચી
વલસાડના ડુંગરી અને નવસારી જિલ્લાના બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે બ્રિજના મજબૂતી કરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈ આગલા દિવસે રેલવે વિભાગે એક યાદી પ્રસિદ્ધ કરીને રેલવે યાત્રીઓને સૂચિત કર્યા હતા. જેની જાણ રેલવે યાત્રીઓને ન થતા યાત્રીઓ અટવાયા હતા. ઘણી ટ્રેનો નિયત સમય કરતાં મોડી પહોંચી હતી. જેને લઈ યાત્રીઓએ વલસાડ રેલવે સ્ટેશન ઉપર હંગામો મચાવ્યો હતો.

અધિકારીઓ યાત્રીઓને યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ
વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન અટક્યા બાદ AC કોચમાં AC બંધ કરી દેવામાં આવ્યું હતું. રેલવેના અધિકારીઓ યાત્રીઓને યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. જેને લઈને રેલ યાત્રીઓમાં નારાજગી જોવા મળી હતી. ટ્રેનના રિઝર્વેશન કરાવતી વખતે યાત્રીઓએ મોબાઈલ નંબર લખાવ્યો હતો. તે મોબાઈલ નંબર ઉપર પણ રેલવે વિભાગ દ્વારા યાત્રીઓને યાત્રા દરમિયાન પડનારી મુસીબતો અંગે વાકેફ કરવાની જવાબદારી વિભાગની હોવા છત્તા કોઈ જાણકારી આપવામાં આવી ન હતી.

વિભાગ દ્વારા મેગા બ્લોક જેવી મહત્વની ઘટના અંગે યાત્રીઓને સમયસર જાણ કરવા જણાવ્યું હતું. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ઉભેલી તમામ ટ્રેનના યાત્રીઓએ વલસાડ ARM અને રેલવેના અધિકારીઓ સમક્ષ પોતાની યાતના ઠાલવી હતી. રેલવે કર્મચારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ સમયસર મળતી ન હોવાના આક્ષેપો યાત્રીઓ દ્વારા લગાવવામાં આવ્યાં હતા.



