મહિસાગર (લુણાવાડા)40 મિનિટ પહેલા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને આજે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા ટૂંક સમયમાં જ ચાલુ થશે. જેમાં આ વખતે એક નવી પાર્ટીએ પણ ગુજરાતમાં જંપ લાવ્યું છે. પાર્ટીઓએ જે રીતે પ્રચાર પ્રસાર કર્યા છે તેવું જોતા લાગે છે કે, આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, મહિસાગર જિલ્લામાં 4 લાખ 86 હજાર 919 મતદારોએ મતદાન કર્યું હતુ, એટલે કે જિલ્લામાં કુલ 66.86% મતદાન થયું હતુ. જેમાં 2 લાખ 25 હજાર 318 મહિલાઓ અને 2 લાખ 51 હજાર 497 પુરુષોએ મતદાન કર્યુ હતુ. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ વખતે લોકો પોતાનો કિંમતી મત કોને આપી વિજયી બનાવે છે. તો આવો જોઈએ કે 2017ની ચૂંટણીમાં મહિસાગર જિલ્લાની તમામ બેઠકોની શું સ્થિતિ હતી?

બાલાસિનોર બેઠક ચૂંટણી-2017ની સ્થિતિ
બાલાસિનોર બેઠક પર 1 લાખ 71 હજાર 581 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 66.27% મતદાન થયું હતુ. જેમાં 77 હજાર 432 મહિલાઓ અને 91 હજાર 167 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અજિતસિંહ ચૌહાણ 10 હાજર 602 મતથી જીત્યા હતા. જેમાં અજીતસિંહ ચૌહાણને 84 હજાર 620 મત મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણને 74 હજાર 18 મત મળ્યા હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં બાલાસિનોર બેઠક પર કેટલુ મતદાન થશે? આ વખતે ભાજપ તરફથી માનસિંહ ચૌહાણ, કોંગ્રેસમાંથી અજિતસિંહ ચૌહાણ અને આમ આદમી પાર્ટીએ ઉદયસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.

લુણાવાડા બેઠક ચૂંટણી-2017ની સ્થિતિ
મહિસાગર જિલ્લામાં સૌથી વધુ મતદાન લુણાવાડા બેઠક પર થયું હતુ. 1 લાખ 75 હજાર 558 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 67.33% મતદાન થયું હતુ. જેમાં 81 હજાર 682 મહિલાઓ અને 89 હજાર 951 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડ 3200 મતથી જીત્યા હતા. જેમાં રતનસિંહ રાઠોડને 55 હજાર 98 મત મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવાર મનોજ પટેલને 51 હજાર 898 મત મળ્યા હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં લુણાવાડા બેઠક પર કેટલુ મતદાન થશે? આ વખતે ભાજપ તરફથી જિજ્ઞેશકુમાર સેવક, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ અને આમ આદમી પાર્ટીએ નટવરસિંહ સોલંકીને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?

સંતરામપુરા (ST) બેઠક ચૂંટણી-2017ની સ્થિતિ
સંતરામપુરા (ST) બેઠક પર 1 લાખ 39 હજાર 780 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 67.00% મતદાન થયું હતુ. જેમાં 66 હજાર 204 મહિલાઓ અને 70 હજાર 379 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કુબેર ડિંડોર 6424 મતથી જીત્યા હતા. જેમાં કુબેર ડિંડોરને 68 હજાર 362 મત મળ્યાં હતા, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ગેંદલ ડામોરને 61 હજાર 928 મત મળ્યાં હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં સંતરામપુરા (ST) બેઠક પર કેટલુ મતદાન થશે? આ વખતે ભાજપ તરફથી કુબેર ડિંડોર, કોંગ્રેસમાંથી ગેંદલ ડામોર અને આમ આદમી પાર્ટીએ પર્વત વાગોડીયા ફૌજીને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.
