છોટા ઉદેપુર3 મિનિટ પહેલા
વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને આજે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગઈ છે. તેમાં પણ આપણે જો છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 3 બેઠકો માટે પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવશે. જ્યાં હવે ભાજપ અને કોંગ્રેસને સાથે ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં પગ મુકી દીધો છે. 2017ની ચૂંટણીમાં જિલ્લામાં કુલ 5 લાખ 17 હજાર 177 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 69.84% મતદાન યોજાયું હતુ. જેમાં 2 લાખ 69 હજાર 114 પુરૂષો, 2 લાખ 44 હજાર 328 મહિલાઓએ મતદાન કર્યું હતુ. તેમજ સૌથી વધારે મતદાન સંખેડા બેઠક પર નોંધાયું હતુ. જિલ્લાની ત્રણેય બેઠકોમાં છોટાઉદેપુર, જેતપુર, સંખેડા બેઠકનો સમાવેશ થાય છે. તો હવે જોવું એ રહ્યું કે, આ વખતની ચૂંટણીમાં મતદારો કોને વધારે મત આપીને જીતાડે છે. શું ફરીથી ત્રણેય બેઠકો પર 2017નું પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન? કે પછી ચૂંટણી મેદાનમાં નવી ઉતરેલી પાર્ટી જ બાજી મારી જશે?…તે પહેલા આપણે 2017ની પાંચેય બેઠકો પર વિસ્તારથી નજર કરીએ…

2017ના છોટાઉદેપુર બેઠકની સ્થિતિ
છોટાઉદેપુર શહેર બેઠકમાં 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા અને ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા વચ્ચે જંગ જામી હતી. જેમાં કોંગ્રેસના મોહનસિંહ રાઠવાએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને 1 હજાર 93 મતથી હરાવ્યા હતાં. જેમાં મોહનસિંહ રાઠવાને કુલ 75 હજાર 141 મત મળ્યા હતા. તેની સામે 74 હજાર 48 મત જશુભાઈ રાઠવાને મળ્યા હતાં. આમ છોટાઉદેપુર શહેર બેઠક પર કુલ 1 લાખ 63 હજાર 582 મત એટલે 67.62% મતદાન થયું હતું. જેમાં 84 હજાર 965 પૂરુષો અને 76 હજાર 993 મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. ત્યારે આ વખતની ચૂંટણીમાં કેટલું મતદાન થશે? અને આ વખતે ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા રાજેન્દ્રસિંહ રાઠવા, કોંગ્રેસમાંથી સંગ્રામસિંહ રાઠવા અને આમ આદમી પાર્ટી તરફથી અર્જુન રાઠવામાંથી ક્યો ઉમેદવાર 2022માં છોટાઉદેપુર શહેર બેઠક પર પોતાનું રાજ ચલાવશે તે હવે આવનારો સમય જ બતાવશે.

2017ના જેતપુર બેઠકની સ્થિતિ
જેતપુર બેઠકની 2017ની ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવાર સુખરામસિંહ રાઠવા અને ભાજપના ઉમેદવાર જયંતી રાઠવા વચ્ચે જંગ જામી હતી. જેમાં કોંગ્રેસના સુખરામસિંહ રાઠવાએ ભાજપના ઉમેદવાર જયંતી રાઠવાને 3 હજાર 52 મતથી હરાવ્યા હતાં. જેમાં કોંગ્રેસને કુલ 77 હજાર 701 મત મળ્યા હતા. તેની સામે 74 હજાર 649 મત ભાજપને મળ્યા હતાં. આમ જેતપુર બેઠક પર કુલ 1 લાખ 69 હજાર 782 મત એટલે 69.32% મતદાન થયું હતું. જેમાં 88 હજાર 119 પૂરુષો અને 80 હજાર 319 મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. ત્યારે આ વખતની ચૂંટણીમાં કેટલું મતદાન થશે? અને આ વખતે ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા જયંતી રાઠવા, કોંગ્રેસમાંથી સુખરામસિંહ રાઠવા અને આમ આદમી પાર્ટી તરફથી રાધિકા રાઠવામાંથી ક્યો ઉમેદવાર 2022માં જેતપુર બેઠક પર પોતાનું રાજ ચલાવશે તે હવે આવનારો સમય જ બતાવશે.

2017ના સંખેડા બેઠકની સ્થિતિ
સંખેડા બેઠકની 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવી અને કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઈ ભીલ વચ્ચે જંગ જામી હતી. જેમાં ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઈ ભીલને 13 હજાર 88 મતથી હરાવ્યા હતાં. જેમાં ભાજપને કુલ 90 હજાર 669 મત મળ્યા હતા. તેની સામે 77 હજાર 581 મત કોંગ્રેસને મળ્યા હતાં. આમ સંખેડા બેઠક પર કુલ 1 લાખ 83 હજાર 813 મત એટલે 72.46% મતદાન થયું હતું. જેમાં 96 હજાર 30 પૂરુષો અને 87 હજાર 16 મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. ત્યારે આ વખતની ચૂંટણીમાં કેટલું મતદાન થશે? અને આ વખતે ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા અભેસિંહ તડવી, કોંગ્રેસમાંથી ધીરૂભાઈ ભીલ અને આમ આદમી પાર્ટી તરફથી રંજન તડવીમાંથી ક્યો ઉમેદવાર 2022માં સંખેડા બેઠક પર પોતાનું રાજ ચલાવશે તે હવે આવનારો સમય જ બતાવશે.
