જૂનાગઢ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

વંથલી તાલુકાના ધણફુલીયા અને લુવારસર ગામની દરગાહમાં થોડા દિવસો પહેલા ચોરી થયાની વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.જેને લઇ વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ મકવાણા સહિતનો સ્ટાફ તથા જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.એચ.સિંધવ પી એસ .આઇ જે.જે ગઢવી,ડી.એમ જલું થતા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવ સ્થળની વિઝીટ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા.ત્યારે ગઈકાલે એ.એસ.આઇ વિક્રમભાઈ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ કનેરિયા,પો.કોન્સ સાહિલભાઈ સમાં,ભરતભાઇ સોલંકી,મયુરભાઈ કોડિયાતર વંથલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમિયાન કોયલી ફાટક નજીક પહોંચતા સમયે ખાનગી રાહે બાતમી મળેલ કે આ ચોરીમાં ભેસાણ તાલુકાના મેંદપરા ગામના યુસુફ ઉર્ફે મીમલી ગનીભાઈ ગામેતી, સલીમ ઈબ્રાહીમ ગામેતી, અને સલીમ નો દીકરો અલ્તાફ એમ ત્રણ આરોપીઓ સંડોવાયેલ છે.અને ત્રણે આરોપીઓ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર G.J 10 CS 1507 તથા મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર G.J 11 MM 5130 માં જુનાગઢ તરફથી વંથલી તરફ ચોરી કરવા માટે નીકળવાના છે. ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા ત્રણેય ઈસમો ભાંગી પડેલ અને જણાવેલ કે આશરે દસ દિવસ પહેલા લુવારસર અને ધણફુલીયા દરગાહ ની દાનપેટી માંથી 1.50.000 ની ચોરી કર્યાનું કબૂલ્યું હતું.અને અત્યાર સુધીમાં 14 જેટલી ધાર્મિક સ્થળો, મંદિરો અને દરગાહમાં ચોરી કરી હોવાનો પોલીસ દ્વારા પર્દાફાશ કર્યો હતો. હાલ તો ત્રણે ઇસમોને હસ્તગત કરી વંથલી પોલીસ ને આગળની કાર્યવાહી માટે વંથલી પોલીસને ત્રણે આરોપીને સોંપ્યા હતા.
