Monday, December 19, 2022

જમાલપુર બ્રિજ નીચે બેસવા પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટર રૂ. 50નો હપ્તો ઉઘરાવે, AMCની ટીમ દબાણના નામે હેરાન કરે | Pay and parking contractor to sit under Jamalpur Bridge Rs. 50 installments, the AMC team harassed in the name of pressure

અમદાવાદ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના જમાલપુરબ્રિજ નીચે શાકભાજીની લારીઓ ચલાવતા 400 જેટલા લારીધારકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. બ્રિજની નીચે શાકભાજીના લારીવાળા બેસે છે તો પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા લારીઓવાળા પાસેથી 50 રૂપિયા લઈ બેસવા દેવામાં આવે છે અને ક્યારેક દબાણની ટીમ દ્વારા ત્યાંથી પણ હટાવી દેવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ શાકભાજી ની લારી ચલાવી અને ગરીબ લોકો ગુજરાત ચલાવે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એક જ માંગણી કરવામાં આવે છે કે તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. આ માંગણીને લઈ આજે મેયર અને કમિશનરને તેઓ આવેદનપત્ર આપવા આવ્યા હતા પરંતુ તેઓ હાજર ન હોવાથી વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સમક્ષ તેઓએ રજૂઆત કરી હતી અને તેઓએ ખાતરી આપી હતી કે કમિશનર સાથે વાતચીત કરી તમારા પ્રશ્નોનું અમે નિરાકરણ લાવીશું.

જમાલપુર માર્કેટમાં શાકભાજી ની લારી ચલાવતા એવા નીતિન વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી આ જમાલપુર બ્રિજ પાસે 400 જેટલા લોકો લારી લગાવી શાકભાજીનો વ્યવસાય કરે છે. શાકભાજીની લારી ચલાવી અને તેઓનું ગુજરાન ચલાવે છે. જમાલપુર બ્રિજ પાસે જ્યારે આ શાકભાજીની લારીઓવાળા વહેલી સવારે અને આખો દિવસ ધંધો કરતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ આવી અને તેઓના વજન કાંટા અને સામાન્ય લઈ જાય છે. દબાણ દૂર કરવાના નામે તેઓને હેરાનગતિ કરવામાં આવે છે. છેલ્લા આઠ મહિનાથી આ રીતે રોજ ગાડીઓ આવી તેઓને હટાવી રહી છે.

આજે બપોરે મ્યુનિસિપલ કમિશનર અને મેયર ને જમાલપુર માર્કેટની 50થી વધુ મહિલાઓ રજૂઆત કરવા આવી હતી ત્યારે હાયરે કમિશનર અને હાયરે ભાજપના નારા લગાવ્યા હતા. ગરીબોને ન્યાય આપો અને કમિશનર તાનાશાહી નહીં ચલેગી કહી અને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ અધિકારી કે મેયર હાજર ન હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લારીઓવાળાને વૈકલ્પિક જગ્યા આપવાની વાત હતી પરંતુ તેઓને જગ્યા આપવામાં આવી નથી. જમાલપુર બ્રિજ નીચે જ્યારે શાકભાજીવાળા બેસે છે તો પે એન્ડ પાર્કિંગ નો કોન્ટ્રાક્ટ ચલાવતા વ્યક્તિ દ્વારા દરેક લારીઓ વાળા પાસેથી રૂ.50નો હપ્તો ઉઘરાવવામાં આવે છે.

બ્રિજ નીચે જે પણ શાકભાજીની લારી લઈને બેસે છે. તેઓની પાસે થી પૈસા લેવામાં આવે છે. દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કે પે એન્ડ પાર્કિંગના નિયમ પાર્કિંગની જગ્યામાં માત્ર વાહન સિવાય કશું ન હોવું જોઈએ તો પછી શા માટે પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે લારી ગલ્લાવાળાને બેસવા દેવામાં આવે છે. જે રીતે વૈકલ્પિક જગ્યા આપવા માટે અનેક વખત રજૂઆત થઈ છે તો શા માટે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ પ્રશ્નનો નિરાકરણ લાવતા નથી.

અન્ય સમાચારો પણ છે…