Monday, December 19, 2022

તાંઝાનિયાનો યુવક નોનવેજ અને દારૂ છોડી શાકાહારી બન્યો, ટીમ સાથે પ્રમુખસ્વામી નગરમાં રજૂ કરે છે કરતબો | Tanzanian youth quits non-veg and alcohol and becomes vegetarian, youth performs with team in Pramukhswami town

અમદાવાદ9 મિનિટ પહેલા

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અમદાવાદના ઓગણજ નજીક ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. 600 એકર વિસ્તારમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. 30 દિવસ સુધી ચાલનારા આ ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવમાં અનેક હરિભક્તો સેવા આપી રહ્યા છે. આ સાથે શતાબ્દી મહોત્વમાં દેશ વિદેશના હરિભક્તો પણ સેવામાં આવી રહ્યા છે. ત્યારે સેમસી ઓમાની નામનો યુવક દારે સલામ તાંઝાનિયાથી એક મહિના માટે પ્રમુખસ્વામી શતાબ્દી મોહત્સવમાં પોતાના કરતબ રજૂ કરવા આવ્યો છે. યુવકની સાથે નવ લોકોની ટીમ નગરમાં દરરોજ અવનવા કરતબ રજૂ કરવાના છે. એક્રોબેટ્સના અલગ અલગ પરફોર્મન્સ દ્વારા લોકોને પોતાની કળા નગરમાં આવનાર તમામ લોકો સામે રજૂ કરવાના છે.

બાપા સાથેની આ એક મુલાકાતે સેમસી ઓમાનીનું જીવન બદલી નાખ્યું

બાપા સાથેની આ એક મુલાકાતે સેમસી ઓમાનીનું જીવન બદલી નાખ્યું

1999માં યુવક પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવ્યો
ઇસ્ટ આફ્રિકાના તાંઝાનિયા દેશમાંથી આવેલો સેમસી ઓમાની તેની ટીમ સાથે યોગા, જીમનાસ્ટીક અને બેલેન્સિંગ જેવા કરતબ રજૂ કરવાના છે. એક મહિનો આ ટીમ નગરમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ તો સેમસી ઓમાની નામના યુવકની વાત કરીએ તો 1999માં આ યુવક પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવ્યો હતો. બાપા સાથેની આ એક મુલાકાતે યુવકનું જીવન બદલી નાખ્યું છે. પોતાની મૂળ રહેણી કહેણી છોડી, યુવકને જે વ્યસન હતું તે છોડી દીધું છે.

ખાત તો દરરોજ ખવામાં આવતા નોનવેજ અને દારૂનું સેવન મુકીને યુવક શાકાહારી બન્યો અને દરરોજ પીવામાં આવતી સિગારેટને પણ યુવકે છોડી દીધી છે. અને આ બદલાવ માત્ર પ્રમુખસ્વામી મહારાજ સાથે થયેલી મુલાકાતને કારણે યુવક પોતે શાંતિનો અનુભવ કરી રહ્યો છે. આ યુવકના ગ્રુપ મયોટો અને થીયેટર અને ગેલેરી થકી આ ગ્રુપ પોતાના અલગ અલગ પરફોર્મન્સ દરરોજ નગરમાં લોકો સામે રજૂ કરે છે.

યુવક સમગ્ર જીવનનો સાર એક નજરમાં સમજી ગયો
આમ નગરમાં માત્ર પ્રદર્શન અને બાળનગરી સિવાય અન્ય એવા લોકો પણ આવ્યા છે જે લોકો ભારતના નથી પણ માત્ર એકવાર પ્રમુખસ્વામી મહારાજને મળ્યા અને આખું જીવન બદલી નાખ્યું છે. સેમસી ઓમાનીની ભાષા આફ્રિકન છે અને તે ગુજરાતી સમજી શકતો નથી. પરંતુ એક બાપાની નજર પડતા જ સમગ્ર જીવનનો સાર જાણે એક નજરમાં આ યુવક સમજી ગયો. આજે પ્રમુખસ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજને રાજીપો મળે અને ખાસ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા માટે આ યુવક હજારો કિલોમીટર દૂરથી નગરમાં સેવા આપવા માટે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…