જામનગર15 મિનિટ પહેલા
- કૉપી લિંક

- એબીવીપીએ કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું
જામનગર આયુર્વેદ યુનિવર્સિટીએ રાજયની 9 આયુર્વેદ કોલેજના જોડાણ રદ કરતા હાલ કાઉન્સેલીંગ ચાલુ હોય છાત્રો મૂંઝવણ અનુભવી રહ્યા છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદે પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર નીટ કવોલીફાય છાત્રોનું કાઉન્સેલીંગ ચાલુ છે. આ સ્થિતિમાં આયુર્વેદ યુનિવર્સિટીએ 9 કોલેજની માન્યતા રદ કરી છે. એટલે કે 540 બેઠકનો ઘટાડો થયો છે. આથી છાત્રોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માંગણી કરી છે.
અન્ય સમાચારો પણ છે…