સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી સાથે અંજીરનું વાવેતર કરાયું હતું.ત્રણ પાક અંજીરના લેવામાં આવ્યા હતા, જેમાં સાતથી આઠ લાખ રૂપિયાની કમાણી થઇ હતી. વિલાસબેનના પતિ દિનેશભાઈએ ચીનમાં એક ફાર્મ હાઉસમાં રોકાયા અને અંજીરની ખેતી વિશે તમામ માહિતી મેળવી હતી. એ જ સમયે કોરોનાની મહામારી આવતા લોકડાઉન થયું હતું. બાદ તેવો મલેશિયાથી આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશથી અમરેલીના મોટા આંકડિયા ગામ ખાતે રોપા લાવ્યા આવ્યા હતા.
ખેતરમાં હાલ 3400 છોડ અંજીરના વાવવામાં આવ્યા છે
વિલાસબેને જણાવ્યું હતું કે, બે વર્ષથી પોતાના પતિ અને પોતાના બાળકો સાથે ખેતી કરે છે. લોકડાઉનમાં સમયમાં સુરત ખાતેથી વતન આવ્યા હતા. બાદમાં ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત અંજીર ખેતી શરૂ કરવામાં આવી હતી. વિલાસબેનના ખેતરમાં હાલ 3400 છોડ અંજીરના વાવવામાં આવ્યા છે.આ છોડમાંથી ત્રણ પાક લેવામાં આવ્યા છે.જેમાંથી 7.5 લાખ થી 8 લાખ સુધીની કમાણી થઇ છે.
પ્રતિ કિલોએ 1200 થી 1,600 રૂપિયા મળ્યા હતા
તમારા શહેરમાંથી (અમરેલી)
વિલાસબેન અને તેના પતિને પ્રગતિશીલ ખેડૂતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચાઇનાથી પ્રોસેસિંગ મશીન લાવ્યા છે. અંજીરનું પ્રોસેસિંગ કરી અને ખુલ્લા માર્કેટમાં વેચાણ કરે છે. ખુલ્લા માર્કેટમાં પ્રોસેસિંગ કરેલા અંજીરનો ભાવ પ્રતિ કિલોએ 1200 થી 1,600 રૂપિયા મળ્યા હતા.
અમરેલી અને આજુબાજુના જિલ્લામાં, સુરતમાં હાલ અંજીરનું વેચાણ કરે છે.સંપૂર્ણ ઓર્ગેનિક અંજીર હોવાને લઈને મોટી સંખ્યામાં લોકો અફઘાનથી આયાત કરવામાં આવતા અંજીર કરતા ઓર્ગેનિક અંજીરમાં વધુ મીઠાશ હોવાથી મોટા આંકડિયા ગામના અંજીર વધુ પસંદ કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Gujarat farmer, Local 18