ભારતના ધુરંધરોનું ફોર્મ ચિંતાજનક
ભારતના શાનદાર ક્લાસ બેટ્સમેનો ગણાતા લોકેશ રાહુલ અને વિરાટ કોહલીનું ફોર્મ હાલ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ જેવી ટીમ સામે પણ આ ધુરંધર ખેલાડીઓ પરફોર્મ ન કરી શકે તો એ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ બંને નિષ્ફળ ગયા હતા. પ્રથમ ઇનિંગમાં રાહુલે દસ અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં રાહુલ બે અને કોહલી માત્ર એક રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ભારત પાસે બેટ્સમેનોની કમી નથી. દેશમાં સેંકડો બેટ્સમેનો ટીમ ઈંડિયામાં તક મળે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે આ બે ખેલાડીઓ પાસેથી આખા દેશને આશા છે અને હવે તેમણે સારું પરફોર્મ કરવું પડે એમ છે નહીં તો તેઓનું ટીમમાં સ્થાન જોખમાઈ શકે છે.
મહેદી હસને શરૂઆતમાં ત્રણ વિકેટ લીધી
ભારતની ચોથી વિકેટ 37 રનના સ્કોર પર પડી હતી. વિરાટ કોહલી 22 બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. તે મેહિદી હસન મિરાજની બોલિંગ પર મોમિનુલ હકના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટનો કેચ પકડ્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ તેની સામે જશ્ન મનાવ્યો અને વિરાટને તે બિલકુલ ગમ્યું નહોતું. જો કે ટીમ ઈન્ડિયા ત્યાર પછી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. 145 રનનો પીછો કરતા ભારતના ચાર મહત્વના બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. આમાંથી ત્રણ વિકેટ મહેદી હસને લીધી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2nd Test, IND Vs BAN, India vs Bangladesh, Virat, વિરાટ કોહલી