Sunday, December 25, 2022

વિધાનસભાના અધ્યક્ષ પોતાના મતવિસ્તારની મુલાકાતે, પ્રજાની સુખાકારી માટેના કામ હાથ ધર્યા, નર્મદાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી | Assembly Speaker visited his constituency, took up work for public welfare, held high-level meeting with Narmada officials.

બનાસકાંઠા (પાલનપુર)17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકર ચૌધરી ત્રણ દિવસ માટે પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાતે છે. અધ્યક્ષ બન્યા બાદ પોતાની પ્રથમ મુલાકાતમાં થરાદ પહોંચેલા શંકર ચૌધરીએ પ્રથમ દિવસથી જ પ્રજાની સુખાકારી માટેના કામ હાથ ધર્યા છે. મત વિસ્તારમાં નાગરિકો પોતાના પ્રશ્નો મામલે ધારાસભ્યને વ્યક્તિગત રજૂઆત કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ તેમના મત વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ માટે સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથધરી છે.

નર્મદા નિગમના અધિકારીઓને સૂચન કર્યા
થરાદ વિસ્તારમાં નર્મદાનું પાણી સ્થાનિક લોકો માટે જીવાદોરી સમાન છે. આ વિસ્તારમાં પીવાના પાણીથી લઈ સિંચાઈ માટે લોકો નર્મદાના પાણી પર જ નિર્ભર છે. જેથી આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પોતાના મત વિસ્તારમાં નર્મદાના પાણી ખેડૂતોને કઈ રીતે આપવામાં આવે છે. પીવાના પાણીની કઈ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેની વિસ્તૃત ચર્ચા માટે નર્મદાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં સિંચાઈ આપવામાં આવતાં પાણીની વિગતો મેળવી પિયત માટે ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સુચારૂ કરવા નર્મદા નિગમના અધિકારીઓને સૂચન કર્યા હતા.

વરસાદી પાણીનો નિકાલ માટે શું પ્લાનિંગ કરી શકાય તેની ચર્ચા કરી
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના મત વિસ્તાર થરાદમાં ખાનપુર, ડોડગામ, નાગલા, ભાપી અને ભાકોદર ગામમાં ભરાતાં વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે સ્થળ મુલાકાત કરી હતી. આ ગામોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાતાં મોટી સમસ્યા ઉભી થાય છે. વરસાદી પાણી ભરાતાં બેટમાં ફેરવાતા ગામોની મુલાકાત લઈ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નર્મદાના અધિકારીઓ સાથે ખાનપુર અને ડોડગામના સ્થળ પર જ નર્મદા નિગમના અધિકારીઓ સાથે વરસાદી પાણીનો નિકાલ માટે શું પ્લાનિંગ કરી શકાય તેની ચર્ચા કરી હતી. જેથી આગામી વરસાદી સિઝનમાં આ વિસ્તારમાં પાણી ન ભરાય.

આગેવાનો અને અધિકારીઓ પણ જોડાયા
વરસાદી પાણી ભરાતાં ગામમાં પાણી નિકાલની વ્યવસ્થા માટે બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા. પોતાના મત વિસ્તાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પ્રવાસ દરમિયાન આજે થરાદ વિશ્રામ ગૃહ ખાતે મત વિસ્તારના નાગરિકોએ પોતાના પ્રશ્નો મામલે સીધો સંવાદ અને રજૂઆત કરી હતી. જ્યારે મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ જિલ્લામાંથી આવેલા આગેવાનોએ નવનિયુક્ત અધ્યક્ષ શંકર ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના મત વિસ્તારના ગામડાઓની મુલાકાત લઇ નાગરિકોની સમસ્યાઓ જાણી હતી. વિધાનસભાના અધ્યક્ષના પ્રવાસ દરમિયાન તેમની સાથે થરાદ મત વિસ્તારના આગેવાનો અને અધિકારીઓ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: