બોટાદ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

બોટાદ શહેરના પાળીયાદ રોડ ગોકુળ મેડિકલ પાસે આવેલી કાઠી ક્ષત્રિય બોર્ડિગમાં આજે પાંચાળનું પ્રગટ પીરાણું અને કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું ધજાળા ખાતે આવેલું લોમેધામના મહંત મહારાજ ભરતબાપુ કાઠી ક્ષત્રિય બોર્ડિંગ ખાતે પધાર્યા હતા. કાઠી ક્ષત્રિય બોર્ડિંગમાં પધારી ઠાકર દર્શન સાથે આર્શિવચનો આપ્યા હતા. કાઠી ક્ષત્રિય બોર્ડિંગ ખાતે હાલમાં કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત અને બોટાદ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઉત્તમ તૈયારી કરાવવામાં આવી રહી છે. જેમાં 35 જેટલા વિધાર્થીઓ તૈયારી પણ કરી રહ્યાં છે. જે તમામ વિધાર્થીઓને ભરતબાપુ દ્વારા શિક્ષણને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે સફળ થવાના આશિર્વાદ આપ્યા
બોટાદ ખાતે કાઠી ક્ષત્રિય બોર્ડિંગમાં લોમેધામના ભરતબાપુનું વિધાર્થીઓ દ્વારા માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. બાપુને વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક અર્પણ કરી વિધાર્થીઓએ બાપુના રૂડા આશીર્વાદ લીધા હતા. ભરતબાપુ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે સફળ થવાના આશિર્વાદ સાથે આદર્શ શિસ્ત અને મહેનત કરી ખુશ રહેવા જણાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિધાર્થીઓ સાથે શિક્ષણ વિંદ પ્રવીણ ખાચર પણ ખાસ હાજર રહ્યાં હતા.
