નવસારી5 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 20 દિવસથી લોકોને તકલીફ પડી રહી હતી
નવસારીના વોર્ડ નંબર-13માં આવેલ તિઘરા ગામે તાજેતરમાં હાઇવે નંબર-48 પર આવેલ કેમિકલની ફેક્ટરીમાંથી બળતર માટે કોઈ કેમિકલનો ઉપયોગ થતો હોય 20 દિવસથી તિઘરા ગામમાં કાળી ધૂળ આવતા લોકોના શ્વાસમાં જતી હતી. આ વિસ્તારમાં પણ સર્વત્ર કાળા ડાઘ પડી ગયા હતા.
આ બાબતે કલેકટરને લેખિતમાં સ્થાનિકોએ અરજી કરી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેને લઈ બીજા જ દિવસથી કાળી ધૂળ આવતી બંધ થઈ જતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. નવસારીના વોર્ડ નંબર-13મા આવેલ તિઘરા ગામે હાઇવે નંબર-48 પર આવેલ કેટલીક કેમિકલ ફેકટરીઓમાં ધારાધોરણ વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે તેવા કેમિકલનો વપરાશ કરતા હોય છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગુજરાત પ્રદુષણ બોર્ડના નિયમના ધજાગરા ઉડાડીને કેમિકલનો બળતણ તરીકે ઉપયોગ કરતા વોર્ડ નંબર-13માં આવેલા તિઘરા વિસ્તારમાં કાળી ધૂળ આવતા લોકો પરેશાન થયા હતા. આ બાબતે સ્થાનિક નગરસેવક મારફતે કલેકટરને લેખિતમાં જણાવ્યું હતું. જેનો અહેવાલ પ્રસિદ્ધ થતા બીજા દિવસથી જ આ વિસ્તારમાં કાળી ધૂળ આવતી બંધ થઈ ગઈ હતી. ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારીઓ આ બાબતે કેમિકલની ફેકટરીમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કરાય છે તેની તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.