પોતાની વાત આગળ ધપાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા જેવા ને ઘણી વખત દુઃખ પણ થાય છે. ઘણી વખત લોકો કહે છે કે સમાજનું કામ કરવા બેઠા છો અને રાજકારણ પણ કરો છો. ત્યારે અત્રે અહીં બેઠેલા સાકરીયા પરિવારના કેટલાક વ્યક્તિઓને પૂછજો કે જો અમે રાજકારણ ન કરીએ તો અમારા કામ થતા નથી. દરેક વસ્તુ થોડી થોડી કરવી જરૂરી હોય છે. કોઈ વ્યક્તિ ક્યારેય પણ મનમાં કશું રાખતી નહીં કે નરેશભાઈ આ પ્રકારના સ્ટેટમેન્ટ શા માટે આપે છે. કેટલીક વખત સ્ટેટમેન્ટ આપવા જરૂરી હોય છે તો અમે આપી દેતા હોઈએ છીએ.
આ પણ વાંચો: વિદ્યાર્થિનીઓએ ત્રણ મહિના પહેલા કર્યો હતો સનસનીખેજ આરોપ
આમ, એકંદરે સમાજના કામ માટે, સમાજના વ્યક્તિઓના કામ માટે રાજકારણ કરવું જરૂરી હોવાનું સુર નરેશ પટેલે પોતાના સંબોધનમાં વ્યક્ત કર્યો છે.
રાજકારણને લઈ નરેશ પટેલનું મોટુ નિવેદન
રાજકારણ ના કરીએ તો કામ થતા નથી : નરેશ પટેલ
ક્યારેક કેટલાક સ્ટેટમેન્ટ પણ દેવા પડે : નરેશ પટેલ#Gujarat #NewsUpdate #Rajkot #nareshpatel pic.twitter.com/GMYsUs4dFx— News18Gujarati (@News18Guj) December 21, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Politics, ગુજરાત, નરેશ પટેલ, રાજકોટ