ક્રાંતિગુરુ શ્યામજી કૃષણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં ચાલતા જૂથવાદના કારણે બે વખત આ પ્રવેશ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. છત વર્ષે નવરાત્રી સમયે પણ આ પરીક્ષા યોજાવાની હતી જે મુદ્દે ફરી ફરિયાદ થતાં રાજ્ય સરકારે તેના પર રોક લગાવી હતી અને ઉપરી કક્ષાએથી આ સંદર્ભે યોગ્ય તપાસ થાય બાદ યુનિવર્સિટીને ક્લીનચીટ મળતા હવે આખરે યુનિવર્સિટી જાન્યુઆરી મહિનામાં યોજાશે.
યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. ડો. ઘનશ્યામ બુટાણીએ જાહેર કરેલ પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, કુલપતિ પ્રો.ડો. જયરાજસિંહ જાડેજાના પ્રયાસથી પ્રશ્નનો ઉકેલ લવાયો છે. તો સાથે જ જણાવ્યું હતું કે તારીખ 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ માટેના ફોર્મ પણ ભરી શકાશે, જ્યારે કે પરીક્ષા જાન્યુઆરી મહિનામાં પ્રથમ પખવાડિયા બાદ યોજાશે. અગાઉની પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરનારા 560 જેટલા વિદ્યાર્થીઓને ફરી ફોર્મ ભરવાની જરૂરિયાત નથી. તો બાકીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકશે. તો અગાઉ કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડી પરીક્ષા માટે 175 સીટ ઉપલબ્ધ હતી જે હવે વધીને 203 થતાં યુનિવર્સિટી હવે વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ મુદ્દો ઉકેલાય તે માટે સતત મહેનત પ્રયત્ન કરાયા હતા. વિધાર્થી પરિષદ દ્વારા ગત વર્ષે નવરાત્રિમાં પરીક્ષા રદ્દ થયા સમયે આવેદન પત્ર આપી તારીખ જાહેર કરવા માંગ કરી હતી. તો કોઈ ઉકેલ ન નીકળતા વિદ્યાર્થી પરિષદ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરાઈ હતી. તો એ સિવાય પણ અનેક વખત રજૂઆતો ઉપરાંત સતત છ કલાક સુધી કુલપતિની ચેમ્બરમાં બેસીને ધારણા પણ યોજ્યા હતા. પરીક્ષા જાહેર થતાં વિદ્યાર્થી પરિષદની પણ મોટી જીત થઈ છે.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kutch, Local 18, University