Tuesday, December 20, 2022

શિયાળો શરૂ થતાં તસ્કરો એક્ટિવ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો

અમદાવાદઃ શિયાળાની ઋતુ શરુ થતાંની સાથે જ તસ્કરો ચોરી કરવા માટે એક્ટિવ થઇ ગયા છે. તેમને રોકવા માટે પોલીસે પણ એક્શન પ્લાન બનાવી દીધો છે. 25મી ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો, પતંગ મહોત્સવની શરૂઆત થઇ જશે. તેમાં હજારો પોલીસ કર્મચારીઓ ખડેપગે ડ્યૂટી કરશે. આવી સ્થિતિમાં તસ્કરો લાભ ઉઠાવી ના જાય તે માટે પોલીસે સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે.

પોલીસ રાત-દિવસ ખડેપગે ડ્યૂટી કરશે

બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં પણ પોલીસ મોડી રાતે તમામ સરકારી વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને શંકાસ્પદ વ્યકિતનીઓ પૂછપરછ કરશે. એસપી રીંગ રોડ પર પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં પણ લાખોની સખ્યામાં ભક્તો આવી રહ્યા છે. આ દરમિયાન મહોત્સવમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્વયંસેવકોની સાથે અમદાવાદની પોલીસ પણ તહેનાત છે. 15 જાન્યુઆરી સુધી શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. તેમાં પણ પોલીસ ખડે પડે ડ્યૂટી કરશે.આ પણ વાંચોઃ પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રી સાથે કર્યું ગંદુકામ

ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે

શતાબ્દી મહોત્સવ સિવાય 25થી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હજારોની સંખ્યામાં લોકો આવશે. રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની પણ તૈયારીઓ ચાલી રહી છે. તેમાં પણ મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડશે. કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ લોહી ચડાવ્યા બાદ થેલેસેમિયાગ્રસ્ત કિશોરીનું મોત

પોલીસે સ્પેશિયલ એક્શન પ્લાન બનાવ્યો

કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો પૂરો થતાંની સાથે જ પતંગ મહોત્સવ આવી રહ્યો છે. તેમાં પણ દિગ્ગજ નેતાઓ સહિતના વીવીઆઇપી લોકો આવતા હોવાથી પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. 25 ડિસેમ્બરથી લઇને 13 જાન્યુઆરી સુધી પોલીસ ખડેપગે બંદોબસ્તમાં રહેશે. ત્યારે તસ્કરો પોતાના ઇરાદા પાર પાડવા માટે માર્કેટમાં ઉતરશે. કહેવાય છે કે, શિયાળામાં તસ્કરો ચોરીની ઘટનાને વધુ અંજામ આપે છે. ત્યારે તસ્કરોને રોકવા માટે પોલીસે સ્પેશિયલ એક્શન પ્લાન બનાવી લીધો છે. તમામ સરકારી વાહનોમાં આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવશે. શંકાસ્પદ લાગતા તમામ વાહનો તેમજ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની અટકાયત પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ દિવસથી ચોરીની ઘટનાને રોકવા માટે પોલીસ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે.

પોલીસ સોસાયટી-ફ્લેટોની મુલાકાતે જશે

અધિકારીઓના કહેવા પ્રમાણે મોડી રાતે પોલીસ પેટ્રોલિંગ કરશે અને સોસાયટી તેમજ ફ્લેટોની મુલાકાત લેશે. જો કોઇપણ સિક્યોરીટી ગાર્ડ સૂતા ઝડપાશે તો તેના મોઢા પર પાણી ફેંકવામાં આવશે. પોલીસ આવે ત્યારે સિક્યોરીટી ગાર્ડ જાગી જતા હોય છે અને પોલીસ જાય ત્યારે તેઓ ફરીથી સૂઇ જતા હોય છે. જેથી સોસાયટી અને ફ્લેટના ચેરમેન સેક્રેટરીની મિટિંગનું આયોજન કર્યું છે અને સિક્યોરીટી ગાર્ડ સૂઇ ના જાય તે માટેનું ઘ્યાન રાખવાનું સૂચવ્યું છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

Related Posts: