Wednesday, December 21, 2022

કોર્ટ દ્વારા તાલુકા પોલીસને આદેશ કરવામાં આવ્યો

રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની પીડિતા અને તેના પતિ પર સરાજાહેર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મીડિયામાં હુમલાના સીસીટીવી ફૂટેજ પ્રસારિત થયા બાદ પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. તો બીજી તરફ કોર્ટ દ્વારા પણ તાલુકા પોલીસને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવા બાબતે આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પીડિતા અને તેના પતિ દ્વારા છેલ્લા એક મહિનાથી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા.

કોર્ટ દ્વારા તાલુકા પોલીસને આદેશ કરવામાં આવ્યો

જોકે પોલીસે સતત એક મહિના સુધી ફરિયાદ ન નોંધ્યા બાદ પીડિતા અને તેના પતિને કોર્ટમાં જવાની ફરજ પડી હતી. જે અંતર્ગત પીડિતા દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે કોર્ટ દ્વારા તાલુકા પોલીસને આદેશ કરવામાં આવ્યો છે કે, તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ 376 (2)(ક), 506 (2), તેમજ આઇ.ટી એક્ટની કલમ 66 (સી), 66 (ઈ), 67 હેઠળના કોગ્નિઝેબ્લ ગુના અંગે પોલીસ તપાસ તેમજ ન્યાયની જરૂર જણાતી હોય. જેથી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 156 (3) મુજબ પીઆઇ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને આદેશ આપવામાં આવ્યો હતો.આ પણ વાંચો: સુરતના સિંગણપોરમાં અજાણ્યા શખ્સોએ જલદ પ્રવાહી ફેંકી બે કાર સળગાવી

કોર્ટે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ કર્યો

કોર્ટે કહ્યું હતું કે, ‘તેઓ ફરિયાદ નોંધી તે અંગે તાત્કાલિક તપાસ કરી 30 દિવસમાં કોર્ટમાં રિપોર્ટ કરે. તેમજ ફરિયાદીનું સીઆરપીસી કલમ 164 મુજબ નિવેદન નોંધવું આવશ્યક હોય તેથી 22 ડિસેમ્બર 2022ના રોજ વલનરેબલ નેશ ડિપોઝીશન સેન્ટર ખાતે ભોગ બનનાર તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે નિવેદન નોંધાવવા હાજર રાખવાનો આદેશ કરવામાં આવે છે.’

આ પણ વાંચો: હાહાકાર મચાવનાર ઓમિક્રોનનાં સબ વેરિયન્ટ  BF 7 ની ગુજરાતમાં એન્ટ્રી

શું હતો સમગ્ર મામલો?

ગત 17મી તારીખના રોજ મીડિયા સાથેની વાતચીતમાં દુષ્કર્મની પીડિતાએ જણાવ્યું હતું કે, મારા પતિએ 50 હજાર અજીતસિંહ નામની વ્યક્તિ પાસે વ્યાજે લીધા હતા. જે અંતર્ગત રોજના 1500 રુપિયા વ્યાજ પેટે અમારે ચૂકવવાના થતા હતા. થોડા દિવસ રાબેતા મુજબ મારા પતિ 1500 રૂપિયા વ્યાજે આપતા રહ્યા હતા. પરંતુ તેમનો ધંધો સારો ન ચાલવાના કારણે તેઓ વ્યાજ આપવાનું ચૂકી ગયા હતા. બાદમાં જ્યાં સુધી વ્યાજ ન આપવામાં આવે ત્યાં સુધી અજીતસિંહ ચાવડા અને તેના પાર્ટનર દિપક વાગડિયા દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા દેવો પડશે તેવું કહેવામાં આવ્યું હતું.

Published by:Vimal Prajapati

First published:

Tags: Crime news, Rajkot crime news, ગુજરાત