Tuesday, December 20, 2022

રાજપીપળા રામગઢને જોડતો પુલ બિસ્માર હાલતમાં; શાળાના વિદ્યાર્થીઓ જોખમી રીતે અવર જવર કરે એ કેટલું યોગ્ય? | Bridge connecting Rajpipla to Ramgarh in dilapidated condition; How appropriate is it for school students to travel dangerously?

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Bridge Connecting Rajpipla To Ramgarh In Dilapidated Condition; How Appropriate Is It For School Students To Travel Dangerously?

નર્મદા (રાજપીપળા)34 મિનિટ પહેલા

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના વડા મથક રાજપીપળા રામગઢને જોડતા બિસ્માર પુલ પર શાળાના વિદ્યાર્થીઓ જોખમી રીતે અવરજવર કરી રહ્યાં છે. તંત્ર દ્વારા ત્યાં અવરજવર ન કરવી એવું બોર્ડ મૂકવામાં આવ્યું છે. છતાં લોકોની અવરજવર માટે આ પૂલ ફરી ભયજનક સાબિત થઈ રહ્યો છે. જવાબદાર શિક્ષકો પણ આ જોખમી પૂલ પરથી બાળકોને પ્રવાસ માટે લઈ જતા કેટલું યોગ્ય?

મોરબી દુર્ઘટના પછી પૂલ એક વાર બંધ કરવામાં આવ્યો હતો
રાજપીપળાથી રામગઢને જોડતો પૂલ ક્ષતિગ્રસ્ત બન્યો છે. ચોથી વખત ક્ષતિગ્રસ્ત થયેલો પુલ વચ્ચેથી બેસી ગયેલા પિલ્લરનું થીંગડા મારવાનું સમારકામ ચાલી રહ્યું છે. છતાં લોકોની અવરજવર શરૂ થઈ છે એનાથી આશ્ચર્ય સર્જાયું છે. ખાસ આશ્ચર્યની વાત તો એ છે કે, વચ્ચેથી બેસી ગયેલા પૂલનું સમારકામ ચાલુ છે. ત્યારે ચાલુ સમારકામે આ પૂલ પરથી મોટી સંખ્યામા પસાર થઈ રહેલા બાળકોની સુરક્ષા ચિંતાનો વિષય બન્યો છે. મોરબીની દુર્ઘટના પછી આ પૂલ એક વાર બંધ કરવામાં આવ્યો હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.

ક્ષતિગ્રસ્ત પૂલ પરથી બાળકો પ્રવાસ જાય તે કેટલું યોગ્ય?
ત્યાર પછી ફરીથી આ ક્ષતિગ્રસ્ત પૂલનું પાયામાંથી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ જોખમી પૂલ પરથી પ્રવાસે જતા શાળાના માસુમ બાળકો પસાર થતાં જોવા મળે છે. આ બાળકોની સુરક્ષા કેટલી સુરક્ષિત છે એ પ્રશ્ન વાલીઓમા પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેમની સાથે જવાબદાર શિક્ષકો પણ આ જોખમી પૂલ પરથી બાળકોને પ્રવાસ માટે લઈ જતા જણાય તે કેટલું યોગ્ય? એ પ્રશ્ન પણ લોક ચર્ચાનો વિષય બન્યો છે.

એક સ્કૂટર સવાર પડી જતા તેનું મોત નીપજ્યું હતું
અગાઉ આ પૂલના છેડે 20 ફૂટનું ઊંડું ગાબડું પડ્યું હતું. તેને પૂરવાની તંત્રને ફરજ પડી હતી. આ પુલમાં એક સ્કૂટર સવાર પડી જતા તેનું મોત નીપજતા એકનો ભોગ પણ લેવાયો છે. આમ આ પુલ જોખમી ઉપરાંત જીવ લેણ પણ સાબિત થયો છે. છતાં આ પૂલ પર કોઈ જાનહાની થાય એની શું રાહ જોવાઈ રહી છે?

તંત્ર સંજાગ બને એવી લોકોની માગ
આ પૂલ જ્યાં સુધી સંપૂર્ણ રીપેર ના થાય અને જ્યાં સુધી લીલી ઝંડી સત્તાવાર આપવામાં ના આવે ત્યા સુધી આ પૂલ રાહદારીઓ માટે ચાલુ ન રાખવો જોઈએ એવુ સૌ કોઈ ઈચ્છી રહ્યાં છે. તંત્રની બેદરકારીનો ભોગ નિર્દોષ બાળકો અને આમ જનતા ન બને એ માટે તંત્ર સંજાગ બને એવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે…