Saturday, December 17, 2022

નવસારીના વાડા ગામના સરપંચની ગામમાં નાણાંની ઉચાપતની હાઇકોર્ટમાં ફરિયાદ થતા DDOએ પદ પરથી દૂર કરવા હુકમ કર્યો | DDO ordered to be removed from post after complaint in High Court of embezzlement of money in village sarpanch of Wada village in Navsari

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • DDO Ordered To Be Removed From Post After Complaint In High Court Of Embezzlement Of Money In Village Sarpanch Of Wada Village In Navsari

નવસારી16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી તાલુકામાં આવેલા વાડા ગામના સરપંચ વિમલ પટેલ વિરુદ્ધ ગામના જ કેટલાક આગેવાનો દ્વારા જમીનમાં ઉચાપતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી જેમાં સરપંચ કસૂરવાર સાબિત થયા હતા જેને પગલે તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને બળ તરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

શું હતો મામલો
આ કેસમાં હકીકત એવી છે કે સરપંચ વિમલકુમાર હસમુખભાઈ પટેલ જવાબદાર પદાધિકારી તરીકેનો હોદ્દો ધારણ કાર્યો હતો. ગ્રામ પંચાયત વાડા(અડદા), મુદ્દતના સમયગાળા દરમ્યાન તેઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની જોગવાઈઓ તથા પ્રવર્તમાન સરકારી નીતિ નિયમોનુસાર ફરજ બજાવવામાં ઈરાદાપૂર્વકની બેદરકારી દાખવી, સત્તાનો દૂરઉપયોગ કરી નાણાંકીય ગેરરીતી આચરેલ છે અને ફરજ બજાવવામાં કસુર કરેલ છે, જે બદલ તેઓને જવાબદાર ગણી કાર્યવાહી કરવાની થાય છે.તેવું તપાસમાં ફલિત થયું હતુ

“સુજલામ સુફલામ જળ અભિયાન” યોજનાના ગુજરાત સરકારના ઉધોગ અને ખાણ વિભાગ ઠરાવ ક્રમાંક : જીએમઆર-૧૦૨૦૧૮-૭૪૯-છ તા.૨૫/૩/૨૦૨૨ના પરિપત્રમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા તેઓના હસ્તકના તળાવ/જળાશય ઉંડા કરી શકે છે અને તે માટે ગુજરાત ખાણ ખનિજ છુટછાટો નિયમો -૨૦૧૭ ની જોગવાઈઓ લાગુ પડશે નહીં પરંતુ ગ્રામ પંચાયત દવારા આ ખોદકામથી મળેલ સાદી માટી કાંપ સોફટ મોરમ આસપાસના સરકારના પ્રગતિમાં રહેલ કામો માટે તેમજ ગ્રામીણ ખેડુતોને પોતાના ખેતરના પુરાણ માટે રોયલ્ટીમાંથી મુકિત આપવામાં આવી છે અને ઉત્પન થયેલ માટી/કાંપ સોફટ મોરમનું વેચાણ ટ્રેડીંગ કરી શકાશે નહીં પરંતુ ગ્રામ પંચાયત વાડા(અ) દ્વારા તા.૨૪/૦૪/૨૦૨૨ ની ખાસ ગ્રામ સભામાં માટી લઈ જવા માટે ભાવો નકકી કરવામાં આવેલ છે. જે સરકારશ્રીના તા.૨૫/૩૨૦૨૨ ના ઠરાવના નિયમોથી બિલકુલ વિપરીત છે. આમ, સરકારશ્રીનાં ઠરાવનું સરેઆમ ઉલ્લંધન થયેલ હોવાનું તપાસમાં બહાર આવતા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી.

હાઇકોર્ટે હુકમ કરતા તાત્કાલિક DDO એ TDO ને તપાસ સોંપીને નાણાંની ઊંચાપત મામલે તપાસ કરવા જણાવ્યું હતું પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે આચારસંહિતા લાગુ હોવાથી સરપંચને વિરુદ્ધ કાર્યવાહી થઈ શકી નહોતી પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો.નવસારી તાલુકામાં સરપંચની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે અને ચર્ચાઓનો દૌર પણ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: