વડોદરા17 મિનિટ પહેલા
- કૉપી લિંક

લાશને ફાયર બ્રિગેડના લાશ્કરોએ બહાર કાઢી હતી.
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરે પકડી રાખેલી એક લાશને ફાયર બ્રિગેડના લાશ્કરોએ બહાર કાઢી હતી. ફાયર બ્રિગેડે મૃતદેહને પોલીસને સોંપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિકે માહિતી આપી
મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અકોટા બ્રિજ પાસે મગરના મોઢામાં એક લાશ હોવાની માહિતી સ્થાનિક વ્યક્તિએ ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બિગેડને માહિતી મળતાની સાથે જ લાશ્કરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને મગરના મોઢામાંથી લાશને બહાર કાઢી હતી. દરમિયાન ફાયર બિગેડ દ્વારા આ બનાવની જાણ સંબંધિત પોલીસ મથકને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી.

પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
મૃતકની ઓળખ માટે તપાસ
પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. મરનાર વ્યક્તિ ક્યાંનો રહેવાસી છે તે અંગે કોઈ માહિતી પોલીસને મળી નથી. મૃતકની ઓળખ કરવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે. પરંતુ, મોડી સાંજ સુધી કોઈ સગડ મળ્યા ન હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મગરના મોઢામાં ફસાયેલી લાશ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી. મૃતકની ઓળખ થયા બાદ મૃતકે આપઘાત કર્યો છે કે, કિનારેથી તેને મગર ખેંચી ગયો હતો. તે અંગેની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.