વ્યારા8 મિનિટ પહેલા
- કૉપી લિંક

- પાણીના વ્યય પર હવે લાગશે રોક
વ્યારા નગરપાલિકાના કાનપુરા પાસે મુખ્ય રસ્તા પર દરગાહ ની સામે આવેલા પીવાના પાણીની લાઈન છેલ્લા ચાર દિવસથી તૂટી જવાને કારણે હજારો લિટર પીવાના પાણી વહી ગયું છે. તેને લઈને નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કામગીરી ન હાથ ધરતા હાલ સ્થાનિકોને પીવાના પાણીનો ઓછા પ્રેશરથી આવવાના કારણે ખૂબ જ મુશ્કેલી વધી જતાં જે બાબતે દિવ્યભાસ્કર અખબારમાં સહ તસવીર અહેવાલ પ્રસિદ્ધ થતા વ્યારા નગરપાલિકાએ બેદરકારી બાબતે ગંભીરતા દાખવી અને તાત્કાલિક પાઇપલાઇન રિપેરીંગ કરાવી દેતા સ્થાનિકોને પાણીની મુશ્કેલી માં રાહત થઈ હતી.
વ્યારા નગરપાલિકા દ્વારા સંકલન નો અભાવને કારણે લોકો એ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યારા નગરપાલિકાના મુખ્ય રોડ પર કાનપુરા વિસ્તારમાં દરગાહની સામે છેલ્લા કેટલા દિવસથી પીવાના પાણીની લાઈનમાં લીકેજને કારણે હજારો લિટર પીવાના પાણી રોજ ગટરમાં વેડફાઈ રહ્યું હતું.
જેના કારણે આ વિસ્તારના રહીશોને પાણી ઓછા પ્રેસરથી મળી રહ્યું હોવાની વ્યાપક ફરીદાયો ઉઠી હતી. જેથી પીવાના પાણીની મુશ્કેલી તાકીદે દૂર કરાવે એ માટે રજૂઆત કરવામાં આવી છે. જે બાબતે દિવ્યભાસ્કર અખબારમાં ગતરોજ સહ તસવીર અહેવાલ છપાતા વ્યારા નગરપાલિકાએ સજાગતા દાખવી હતી. આજરોજ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન ઓને ખોદી લીકેજ ની દૂર કરવાની કામગીરી હાથ ધરી દેવાતા જેને લઈને સ્થાનિકોમાં રાહત થઈ હતી.